________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા વચ્ચે ઝાઝું અંતર લાગતું નથી. મારો પ્રભુપ્રેમ ક્ષણે ક્ષણે વધી રહ્યો છે, એવું મને લાગે છે. કદાચ હું પ્રભુમય બની જઈશ...મારી, પરમાત્મા પાસે પહોંચવાની આ યાત્રા અવિરામ છે. પ્રતિક્ષણ હું એ યાત્રામાં આગળ વધી રહી છું એમ મને સમજાય છે.'
સખીઓએ આગ્રહ છોડી દીધો. બ્રહ્માજીનો ભક્ત પણ હાલતો થઈ ગયો. બ્રહ્માજી તુલસાના આગમનની રાહ જોઈ રહ્યા હતા. પણ સુલતાને તેમણે ન જોઈ! એ મનોમન હરખાયા! “વાહ સુલસા! પ્રભુ વીર પ્રત્યેની તારી શ્રદ્ધા સાચી
બીજા દિવસે રાજગુહીના દક્ષિણ દિશાના દરવાજે લોકોની ભીડ જામી હતી. દરવાજાની બહાર મેદાન નંદનવન જેવું શણગારાયેલું હતું. ત્યાં સાક્ષાત્ વિષ્ણુ ભગવાન પધાર્યા હતા! કમળ સમાન નાભિ, ગરુડ પક્ષી પર આરૂઢ, પીતાંબરધારી, ચાર હાથમાં ગદા, શંખ, ચક્ર અને ધનુષ્ય! આસપાસ લક્ષ્મી દેવી આદિ અનેક રાણીઓનું વૃંદ! છાતી પર કૌસ્તુભ મણિ!
વિષ્ણુ ભગવાનના ઉપાસકો હર્ષથી ઉન્મત્ત થઈ નાચી રહ્યા હતા, અને ગાતા હતા. વિવિUT: વિષ્ણુ: પર્વતમસ્ત! સર્વ વિuાન Mાત!” પાણીમાં વિષ્ણુ છે, પૃથ્વી પર વિષ્ણુ છે અને પર્વતની ટોચે પણ વિષ્ણુ છે! આખું જગત વિષ્ણુમય છે! આવા વિષ્ણુ ભગવાન દક્ષિણ દરવાજે પધાર્યા છે... સૌ દર્શન કરવા ચાલો અને જીવન સાર્થક કરો!'
વિષ્ણુ ભગવાન પ્રત્યક્ષ આવ્યા હોય, ત્યાં જોવા કોણ ન જાય! રાજગૃહીનાં તમામ સ્ત્રી-પુરુષો ઊમટી પડ્યાં. સુલતાની સખીઓ સુલસા પાસે પહોંચી ગઈ. સુલતા, આજે તારે વિષ્ણુ ભગવાનનાં દર્શન કરવા આવવું જ પડશે!' “કેમ?' કેમ શું? એ આ સૃષ્ટિના પાલક છે! રક્ષક છે!”
તો પછી હમણાં જ થયેલો વૈશાલીનો વિનાશ તેમણે રોક્યો કેમ નહીં? વૈશાલી જેવી દેવનગરી...આજે ઉજ્જડ વેરાન થઈ ગઈ! ભયંકર યુદ્ધ થયું. યુદ્ધમાં લાખો સૈનિકો માર્યા ગયા. વિષ્ણુ ભગવાને નગરની રક્ષા, પ્રજાની રક્ષા કેમ ન કરી? સૃષ્ટિના પાલક હોય, તે પણ સર્વશક્તિમાન હોય, તો સૃષ્ટિમાં કોઈ જીવ ભૂખ્યો રહે? તરસ્યો રહે? નાગો ફરે? દર્દીથી પીડાય?
સુલાસા
૨૧૩
For Private And Personal Use Only