________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિપુલ ભોગસુખો મળવા છતાં એ અનાસક્ત રહેશે. શ્રમણ બનશે, સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષે જશે.
અંબડ પરિવ્રાજ કે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દીધી. તે હર્ષથી રોમાંચિત થઈ ગયો. મસ્તકે અંજલિ રચી અને પ્રભુની સ્તવના શરૂ કરી. પ્રભો! આપ સંજીવની ઔષધ સમાન છો અને મારા હૃદયના પ્રાણ છો! આધિ-વ્યાધિ ને ઉપાધિ-ભર્યા આ સંસારમાં કલ્યાણ કુંભ સમાન છો. અષ્ટપ્રતિહાર્યશોભિત ભગવંત, આપ આણંદો ગણધર-મુનિવર-સેવિત ચરણ, આપવા પરમાનંદો..પ્રભો, આપ. આપને મારા કોટિ નમસ્કાર, હે સૂર્ય-ચંદ્રસેવિત પ્રભો! આપનો છે અપાર ઉપકાર યાદ કરતો સદા હે વિભો! પ્રભો, આપ.
અજ્ઞાની આપ પૂર્ણ જ્ઞાની, આપની શું સ્તવના કરું? હું માત્ર શ્રદ્ધાભાવથી આ ભવસાગરને તરું..પ્રભો, આપ. નભે ચમકતા તારલા દેખાય ના મુજને અહો.. આંખો ઝાંખી ને જ્ઞાન પાંખું, બસ, આપ મુજને ચહો..પ્રભો, આપ. ભક્તિ-પ્રેરિત જીભ મારી ગુણ તવ ગાવા તલસે ઘણી આ માનવીનું મન છે..જાય દુર્ગમ પણ સ્થાનો ભણી... હે જિનવર! આપ પવિત્ર! માતા દેવાનંદાની કૂખે. શુચિ માસ છઠના દિવસે માટે અવતર્યા સ્વસ્થ યુએખે..પ્રભો, આપ. તેરસ સિદ્ધતિથિ કહેવાય! માટે ચૈત્ર સુદ તેરસના દિવસે ત્રિશલાની કુખે જન્મ્યા તમે સિદ્ધ થઈ ઇચ્છાઓ સર્વે..પ્રભો, આપ. અને વિચલિત થયો મેરુ જન્માભિષેકના સમયે ઘટના બની વિચિત્ર માટે જ માસ હતો ચૈત્ર?...પ્રભો, આપ. મૃગશીર દશમીના દિવસે શીર્ષસમ મોક્ષમાર્ગનો ચારિત્રધર્મ સ્વીકાર્યો તમે, સાર પામ્યા પરમાર્થનો...પ્રભો, આપ. વૈશાખ એટલે માધવ માસ! શુક્લા દશમીના દિવસે શ્રેષ્ઠ માસે પામ્યા શ્રેષ્ઠ જ્ઞાન, કૈવલ્ય આતમમાં વસે.પ્રભો, આપ. હું અજ્ઞાની અજાણ છું, નિર્વાણ પામશો કયા દિને
૨૦૪
સુલાસા
For Private And Personal Use Only