________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
આ
_KJ8
ફૂલ ઉપવનમાં ખીલે છે કે મનના આંગણામાં? સુવાસ ફૂલની પાંખડીમાં હોય છે કે મનની પાંખડીમાં? કુહુતાન કોકિલના સ્વરમાં હોય છે કે મનતંત્રમાં બજે છે? વસંત વાસ્તવમાં હોય છે કે ભાવનામાં ચિત્રિત થાય છે?
મારા પ્રભુ રાજગૃહીમાં વર્ષાવાસ કરવાના છે.” આ ઘોષણા સાંભળ્યા પછી મનના આંગણામાં ગુલમહોર ખીલી ઊઠ્યાં. મનતંત્રી બજી ઊઠી અને વસંતનું હૃદયમાં આગમન થઈ ગયું! પ્રભુને હું ઊગતા સૂર્યની આભામાં, આથમતા સૂર્યની કોમળ લલિત વિદાયમાં, ચાંદનીના પ્રકાશમાં, વર્ષાના સંગીતમાં...અને રાત્રે સપનામાં...પ્રભુ જ પ્રભુ દેખાય છે. “પ્રભુ, હવે તમને હું નહીં છોડું. મારે તમારી પાસેથી ધન-દોલત નથી જોઈતી. બસ, તમે મારા હૃદયમાં રહો. આપના વિના જીવનનો આટલો ભાગ વીતી ગયો... બાકી કેટલો બચ્યો હશે આપણા આ સીમિત જીવનનો સમય?
મારી વિચારધારા તૂટી. મારા પતિએ મારા ખંડમાં આવીને મારા ખભે હાથ મૂક્યો. હું ચમકી! એમણે પૂછયું : “દેવી, કોના વિચારોમાં લીન હતાં?' તેમના મુખ પર સ્મિત હતું.
મેં કહ્યું : “મારા પ્રભુ વીરના!” “અદૂભુત છે મહાવીર! અમૃતધારા છે એમની વાણી! કલ્પવૃક્ષ જેવું છે એમનું વ્યક્તિત્વ!'
નાગ સારથિ રાજગૃહીનો ધનાઢ્ય નાગરિક હતો. રાજપરિવાર સાથે વર્ષો જૂનો એનો સંબંધ હતો. પહેલાં એ મહારાજા પ્રસેનજિતનો પ્રિય રથ-સારથિ હતો. તે પછી તેમના રાજસિંહાસને આરૂઢ થયેલા મહારાજા શ્રેણિકનો એ અતિપ્રિય ને વિશ્વાસપાત્ર સારથિ હતો. તે પરમાર્થી હતો. તે જિનવચનો ઉપર શ્રદ્ધાવાન હતો, ચારિત્રશીલ હતો અને જ્ઞાનવાન હતો. જિનભક્તિ હતો, શ્રમણભક્ત હતો. વિશાળ સ્વજનવર્ગનો પાલક હતો. તેનામાં ન હતો
સુલાસા
For Private And Personal Use Only