________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે મને દુર્ગતિની શી ભીતિ? અજબ બની છે પ્રભુ સાથે પ્રીતિ... પ્રભુ તારો દુર્લભ સ્નેહ જાણે વરસ્યો પુષ્કરાવર્ત મેહ! મને કરાવશો પૂરણ પ્રેમની પ્રતીતિ? હવે મને દુર્ગતિની શી ભીતિ? મારું ચિત્ત ચોરાયું તારે સંગ, ખરેખર મળ્યો તું ચઢતે રંગ! મને કહો તુમ સાથે પ્રેમ કરવાની રીતિ, હવે મને દુર્ગતિની શી ભીતિ? જિમ જિમ જોઉં તવ મુખનું નૂર, તેમ તેમ પાવું આનંદપૂર
સુણીને જનમુખે ગવાતી તવ સ્તુતિ,
રોમ રોમ ઉલ્લસે કરી મેં વીર સાથે પ્રીતિ!
મારું કેવું પરમ સૌભાગ્ય! પરમાત્માની મારા ઉપર કેવી અપાર કૃપા! તેઓ મને તેમની સમાન બનાવશે.. તેઓ તીર્થંકર છે, મને તીર્થંકર બનાવશે!
તીર્થંકરત્વ!
દુનિયાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદ!
‘સંસારના સર્વ જીવોને સર્વ દુઃખોથી મુક્ત કરું અને પરમ સુખમય મોક્ષદા પમાડી દઉં.’ આવી ઉત્કૃષ્ટ ભાવનાથી તીર્થંકર નામકર્મ બંધાય છે,’ એમ મેં મારા પ્રભુના મુખે સાંભળ્યું છે! એવું પણ સાંભળ્યું છે કે જે જીવ જેનું તન્મયતાથી ધ્યાન કરે, તે જીવ તેવો બની જાય છે! આ વાત મને ખૂબ સ્પર્શે છે. મારું મન પ્રભુની ચારે બાજુ ભ્રમર બનીને ગુંજારવ કરતું રહે છે. મને મારા પ્રભુ મારા પ્રાણથી પણ વધુ વહાલા લાગે છે. અહો! મારા એ આરાધ્યદેવને હું કેટલીય વાર અભેદ ભાવે મળી છું! ‘તું હી તું હી' નો ગંભીર નાદ મારા નાભિપ્રદેશમાંથી ઊઠ્યા કરે છે...મારા નાથ! તમે મારું શ્રેષ્ઠ ભાષ્ય ભાખ્યું...આપનાં વચનોમાં મને અખંડ શ્રદ્ધા છે, જે વાત ભાવિની ભીતરમાં નિશ્ચિત હોય , આપ એના ભેદ ખોલી નાખો છો...આપ પૂર્ણ જ્ઞાની છો...આપ પૂર્ણ દ્રષ્ટા છો.
મારા નાથ! કેવું આશ્ચર્યનું આશ્ચર્ય! આ મને શું મળી ગયું? તારી
સુલસા
For Private And Personal Use Only