________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમાંય આજે તો મારું મન પ્રભુમય બની ગયું છે. મહાવીરમય બની ગયું છે. એમની સાથે જાણે ભવોભવની પ્રીત જાગી ગઈ છે. એટલે એક પછી એક કાવ્ય મનમાં ઊઠતું જ જાય છે! મેં વસન્તાને કહ્યું : “મારું આ કાવ્ય સાંભળ'
એ ઉરના પટ પર આવ્યો!
ને અજબ-ગજબનું લાવ્યો... અજબ કોઈ તેજનું, કોઈ મજનું મોજું મોટું આવ્યું... મોજું આતમના ઓવારે ભારે પડઘા મીઠા ભાવ્યું... પડઘા
સૂર શાનો આ સંભળાવ્યો?
એ અજબ-ગજબનું લાવ્યો! છોડ મોહને, છોડ માનને, તોડ રાગની ફાંસી તોડહાકલ આ ક્યાંથી પોકારી? કોણ કરે છે હાંસી? કોણ
મારા ચેતનને ચેતાવ્યો!
એ ઉરના પટ પર આવ્યો! પાપ-પાપનાં તોફાનોમાં પુણ્ય તણા ફુવારા... પુણ્ય૦ ભય ભરેલા જીવનપથ પર, રક્ષાના ભણકારા... રક્ષાના
કોને પરમારથ આ ભાવ્યો?
એ અજબગજબનું લાવ્યો! ભવકાનનમાં ભમે આતમાં, ભાન નહીં પોતાનું... ભાન વૈરાગે છલકાતું ગાણું, લલકારે કો છાનું? લલકારે૦
કોણે દીવો આ સળગાવ્યો?
એ ઉરના પટ પર આવ્યો. ગયું તિમિર ને થયું અજવાળું પ્રેમપૂંજ પથરાયા.. પ્રેમપૂજ0 ભૂલી દેહને, ઝૂલી ચેતને... પ્રેમભાવ પ્રગટાયા... પ્રેમભાવ
એ તો મહાવીર મારો આવ્યો! ને અજબ-ગજબનું લાવ્યો!... મને કોઈ અજાણી ધ્રુજારીથી રોમાંચ થયો. અંગ અંગ પુલકિત થઈ ગયું. આર્યાવર્તના શ્રેષ્ઠ પુરુષ! શ્રેષ્ઠ ધર્મસ્થાપક! કોને એ ન ગમે? હું તો એમને સમર્પિત છું! સ્વર્ગીય, પવિત્ર, મધુર પ્રેમધારામાં મારું હૃદય આદ્ર થઈ ગયું.
આંખો આંસુભીની...પણ હું નહોતી જાણતી કોણ છે આ પરમ પુરુષ મહાવીર!
સુલાસા
For Private And Personal Use Only