________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊઠશે, પરંતુ કેવળ ગળામાં થોડા દાહ સિવાય કંઈ જ થયું નહીં. અડધો કલાક પલંગ પર પડ્યો રહ્યો. અત્યંત માનસિક વેદનાનાં અંધારાં આવતાં હતાં. હું સફાળો બેઠો થઈ ગયો. ભયથી મારું શરીર ધ્રુજી ઊઠ્યું. હું કોણ? ઝેરથી પણ ન મરનારો! મન શંકાશીલ બની ગયું. જીવવું અસહ્ય થઈ પડ્યું હતું. મૃત્યુને ને મારે લાખ ગાઉનું છેટું પડી ગયું! ઝેરની મારા શરીર પર કોઈ અસર ન થઈ. હું મારા શયનખંડમાંથી બહાર નીકળી તુલસાના શયનખંડમાં ગયો. મેં તેને જગાડી. મને જોઈને એ ચોંકી ગઈ. એનો હાથ પકડીને એ જ સ્થિતિમાં હું એને મારા કક્ષમાં લઈ આવ્યો. મને કોઈનો સધિયારો જોઈતો હતો. મેં એને મારા પલંગ પર બેસાડીને એને વીતેલી ઘટના સંભળાવી એના ખભા હલબલાવીને મેં પૂછ્યું : “દેવી, તું જ કહે, હવે હું ક્યાં જાઉં? શું કરું? હું મરી શકવાનો નથી અને આ સ્થિતિમાં જીવવાની મારી ઇચ્છા પણ નથી.”
સુલસા પોતાનો રેશમી હાથ નાગને વાંસે પ્રેમથી ફેરવવા લાગી અને કહ્યું: “મારા નાથ! મારા વિના આપે આ ભવનમાંથી બહાર જવાનું નથી.”
સુલતા! “મારું મન વ્યવહાર અને પ્રેમ, કર્તવ્ય અને ભાવના, વાસ્તવિકતા અને મમતાનાં દુન્દ્રોમાં ગૂંચવાઈ ગયું. શું કરું? સારથિને-મારા પતિને લઈ એકલી ક્યાંક દૂર દૂર ચાલી જાઉં? પણ હું ક્યાં જઈ શકવાની હતી? મને કોણ આશરો આપે? એક અસ્વસ્થ-અસ્થિર પતિને લઈને શું વન વન ભટકું? ત્યાં શું હું સુરક્ષિત રહી શકું? વળી, મારે તો મારી બત્રીસ પુત્રવધૂઓને પણ સંભાળવાની છે. એમનાં તન-મનની સાર-સંભાળ રાખવાની છે. મારે હિંમત ન હારવી જોઈએ. જેમ ઝેરની શીશી બદલીને બીજી મીઠી દવા ભરી દઈ, એમને એકવાર બચાવી લીધા, તેમ હવે મારે ખૂબ સાવધ રહીને એમને સંભાળવા પડશે. હા, થોડા દિવસોમાં જ મારા પ્રભુ રાજગૃહી પધારવાના છે. પછી તો બધી જવાબદારી તેમની!
પ્રભુનો વિચાર આવતાં જ મારું દુઃખ હળવું થઈ ગયું. આજ સુધીમાં બનેલી તમામ ઘટનામાં આ એક જ વિચારે મને ધીરજ બાંધી આપી. હું કંઈક સ્વસ્થ બની.
સુલાસા
૧૪૧
For Private And Personal Use Only