________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૌષધશાળામાં જઈને રહીશ અને શ્રમણ ભગવાન મહાવીરે બતાવેલી આત્મકલ્યાણની આરાધના કરીશ. ભવિષ્યમાં મને ઘરના વિષયમાં, વ્યાપારના વિષયમાં કે વ્યવહારના વિષયમાં કંઈ પૂછવું નહીં.'
ત્યારબાદ તે સહુની આજ્ઞા લઈ ઘરેથી નીકળી કોલ્લાગસન્નિવેશમાં જશે. ત્યાં રહેલી પૌષધશાળાને તે સ્વયં સાફ કરશે. જયણાપૂર્વક શુદ્ધ કરી, ઉચ્ચાર-પ્રસ્ત્રવણ ભૂમિ (પેશાબ કરવાની જગા અને શૌચ જવાની જગા)નું અવલોકન કરશે. પછી પૌષધશાળામાં દર્ભના સૂકા ઘાસનો સંથારો બિછાવી એના પર બેસી, શ્રાવકની ૧૧ પ્રતિમાઓ (વિશિષ્ટ સાધના) વહન કરવાનો નિર્ણય કરશે. અગિયાર પ્રતિમાઓની સમ્યગ રૂપે આરાધના કરશે. અતિચારોનો ત્યાગ કરશે. ઉગ્ર તપશ્ચર્યા કરવાથી આનંદ શ્રાવકનું શરીર સુકાઈ જશે. શરીરની એકએક નસ દેખાવા લાગશે.
એક દિવસ ધર્મજાગરણ કરતાં કરતાં એને ઉત્તમ વિચાર આવશે -- “આ અગિયાર પ્રતિમાઓની આરાધનાથી હવે આ શરીર માત્ર હાડકાંનો માળો રહી ગયો છે. તે છતાં હજુ મારામાં બળ, વીર્ય, પરાક્રમ, પુરુષાર્થ, શ્રદ્ધા, ધૈર્ય અને ઉત્સાહ ટકેલાં છે. હું મારાં કાર્યો સ્વયં કરી શકું છું. તો જ્યાં સુધી મારામાં બળ, વીર્ય આદિ છે, હું મારણાન્તિક સંખના - અનશન કરી લઉં. આહાર-પાણીનાં પચ્ચખાણ કરી લઉં! મૃત્યુની આકાંક્ષા રાખ્યા વિના અસંગભાવે રહેવું - એ જ મારા માટે શ્રેયસ્કર છે.'
આવા આવા શુભ અધ્યવસાર્યો દ્વારા, શુભ પરિણામો દ્વારા અને વિશુદ્ધ થતી વેશ્યાઓ દ્વારા એ મહાનુભાવ આનંદને “અવધિજ્ઞાન પ્રગટ થશે!
અંતે, આનંદ શ્રાવક ઘણા શીલ-વ્રત આદિથી આત્માને ભાવિત કરશે વીસ વર્ષ સુધી શ્રાવકધર્મનું પાલન કરી, શ્રાવકની ૧૧ પ્રતિમાઓનું વિશુદ્ધ આરાધન કરી, એક મહિનાનું અનશન કરી, આલોચના-પ્રાયશ્ચિત્તથી સમતા-સમાધિ પ્રાપ્ત કરી કાળધર્મ પામશે.
પહેલા દેવલોકસૌધર્માવલંસક મહાવિમાનમાં, ઈશાન ખૂણાનાં અરૂણ વિમાનમાં તે દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે અને એ જ ભવમાં સર્વે કર્મોનો ક્ષય કરી સિદ્ધ બુદ્ધ ને મુક્ત બની જશે.” દૂતના મુખે આનંદ શ્રાવકનો રોમાંચક હર્ષોત્પાદક વૃત્તાંત સાંભળી સહુ
સુલતા
૯૯
For Private And Personal Use Only