SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ભષ્ટાચાર છે ત્યાં સુધી ભારતનિર્માણ મુશ્કેલ - પ્રધાનમંત્રી હિન્દુસ્તાન : તા. ૨૪/૫/૦૦ છે પ્રધાનમંત્રીને એટલું જ પૂછવું છે કે ભ્રષ્ટાચારની ગંગોત્રી છે ક્યાં? ઝૂંપડામાં કે બંગલામાં? નિરક્ષરોમાં કે સાક્ષરોમાં ? શ્રમજીવીઓમાં કે શ્રીમંતોમાં? આમ આદમીમાં કે ઑફિસરોમાં? પ્રજાજનોમાં કે શાસકોમાં? દુઃખ સાથે કહેવું પડે છે કે ભ્રષ્ટાચારની ગંગોત્રી ઉપરથી નીચે તરફ વહી રહી છે. કરુણ દશા તો એ સર્જાઈ છે કે સરકારે કાયદાઓના અને કરવેરાઓના એવાં જાલિમ જંગલો ઊભા કરી દીધા છે કે એક જમાનામાં “શોખ'ની જગાએ રહેલ ભ્રષ્ટાચાર આજે ‘જરૂરિયાતની જગાએ આવી ગયો છે. પ્રધાનમંત્રીજી ! પ્રજાજનો ઇચ્છે છે કે સૌપ્રથમ તમારી સરકારમાં રહેલ ભ્રષ્ટાચારી પ્રધાનોને તમે પાણીચું પકડાવીને ઘરે બેસાડી દો. મંત્રિત રાઈના દાણા કોકના પર નાખવાથી ભૂત ભાગી જાય પણ રાઈના દાણામાં જ જો ભૂત ભરાઈ ગયું હોય તો? પ્રધાનમંત્રીજી ! હું શું કહેવા માગું છું એ તમે સમજી જ ગયા હશો.
SR No.008940
Book TitleTagde
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy