SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદારીકરણનું ઈનામ : બાળમજૂરોની સંખ્યામાં 10 ટકાનો વધારો દૈનિક ભાસ્કર: તા. 13/6/07 ટ્રેક્ટર આવે, બળદો નકામા થઈ જાય. રિક્ષા આવે, ઘોડાગાડી નકામી થઈ જાય, ઘોડા નકામા થઈ જાય. મશીનો આવે, માણસો નકામા થઈ જાય. નકામાં થઈ ગયેલા માણસો કરે શું? કાં તો અપરાધોના જગતમાં દાખલ થઈ જાય અને કાં તો પેટ ભરવા માટે, પરિવારને પોષવા માટે પરિવારના નાના-મોટા તમામ સભ્યોને કોક ને કોક કામે લગાડી દે. ઉદારીકરણે આ જ તો કર્યું છે. એક બાજુ અપરાધીઓ વધારી દીધા છે તો બીજી બાજુ બાળમજૂરો વધારી દીધા છે. જેઓ પણ ઉદારીકરણની ભરપેટ તરફેણ કરી રહ્યા છે એ સહુને મારે એટલું જ કહેવું છે કે આજે બાળમજૂરોની સંખ્યામાં ઉદારીકરણના કારણે 10 ટકાનો ઉછાળો આવ્યો છે. આવતી કાલે બાળ અપરાધીઓની સંખ્યામાં 20 ટકાનો વધારો જોવા તમો સહુ તૈયાર જ રહેજો કારણ કે નવરો બેઠેલો વાંદરો કંઈક ને કંઈક ઉપદ્રવ જો કરતો જ રહે છે તો નવરો બેઠેલો માણસ શાંત બેસી રહેશે કે માળા ગણતો રહેશે એવું જો તમે માનતા હો તો મૂર્ખાઓના જગતમાં વસો છો. 100
SR No.008940
Book TitleTagde
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy