________________
ભ્રમરી પોતાના નાના બાળકને જીવન ઘડતરના પાઠ આપતા કહી રહી હતી કે ‘જો બેટા ! એક બાબતનું ખાસ ધ્યાન રાખજે. પુષ્પ ચાહે મોગરાનું હોય કે ગુલાબનું હોય, જાસુદનું હોય કે કમળનું હોય, એમાંથી રસ ચૂસવાની મારી તને મનાઈ નથી પણ એ રસ ચૂસવા જતાં કોઈ પણ ફૂલને અલ્પ પણ ત્રાસ ન થાય એની ખાસ તકેદારી રાખજે. ટૂંકમાં, ‘પીડા વિના પ્રાપ્તિ’ એ આપણા કુળની આગવી પરંપરા છે. એ પરંપરા સાચવી રાખવાની કપરી જવાબદારી કોઈ પણ સંયોગમાં તારે નિભાવી જ રાખવાની છે. અત્યારથી આ બાબતમાં હું તને એટલા માટે ચેતવી રહી છું કે તારું જીવન તારે શહેરમાં ગુજારવાનું છે. એ શહેરમાં જે માણસજાત રહે છે એણે પોતાનો જીવનમંત્ર આ જ રાખ્યો છે કે ‘પ્રાપ્તિ માટે સામાને પીડા આપવી પડે તેમ હોય તો આપતા રહો પણ પ્રાપ્તિ તો કરીને જ રહો !' ખેર, એ ય બિચારા શું કરે ? આખરે એમને વારસામાં સંસ્કાર જ એવા મળ્યા હોય ત્યાં !”
i re 2
( ))