SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ‘મચ્છર માણસનું લોહી ચૂસે છતાં તમે એને એવોર્ડ આપો એ કેવું?' હંસને કાગડાએ પ્રશ્ન પૂછ્યો. ‘તારી વાત સાચી છે પરંતુ એનામાં એક ગુણ છે.' ‘કયો?' એ સૂર્યની આમન્યા રાખે છે. એટલે કે સૂર્યની હાજરીમાં એ લગભગ કોઈનું ય લોહી પીતો નથી. બસ, એના આ એક ગુણના કારણે જ એને એવોર્ડ આપવામાં આવ્યો છે. ‘તો પછી માખીને શા માટે એવોર્ડ અપાયો?' ‘એ ચન્દ્રની આમન્યા રાખે છે. એટલે ! તે ક્યારેય માખીને રાતના ઊડતી જોઈ ખરી? ના. એ રાતના ચન્દ્રની હાજરીમાં ક્યારેય વિષ્ટા પર બેસતી નથી. એના એ મસ્ત ગુણના કારણે જ એને એવોર્ડ આપવામાં આવ્યો છે. બાકી કાગડાભાઈ, સાચું કહું ? મચ્છર અને માખી, માણસ કરતાં લાખ દરજ્જુ સારા છે કારણ કે માણસ નથી તો સૂર્યની આમન્યા રાખતો કે નથી તો ચન્દ્રની આમન્યા રાખતો ! એ ભરબપોરે ય કાળાં પાપ કરે છે તો પૂનમની ધવલ રાત્રિએ ય કાળાં પાપ કરે છે !' ૩૯
SR No.008936
Book TitlePankhini pankhe vivekni Aankhe
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy