________________
છે
કોઈ પણ
પ
.
.
સાહેબ, જીવનમાં બધું જ છે પણ શાંતિ નથી” ની ફરિયાદ નથી કરી ? ધંધામાં આવી ગયેલ મંદીનાં રોદણાં તું મારી પાસે નથી રોયો? સંસારની જાતજાતની ફરિયાદો તે મારી પાસે નથી કરી?
જો હા, તો આનો તાત્પર્યાર્થ શો ? મારું જીવન તારા માટે દયાપાત્ર કે પછી તારું જીવન મારા માટે દયાપાત્ર? તારું જીવન મારા માટે ઈર્ષ્યાનું કારણ કે મારું જીવન તારા માટે ઈર્ષ્યાનું કારણ?
એક બીજી વાત.
જો તને મારું જીવન દયાપાત્ર જ લાગી રહ્યું છે તો તે ક્યારેય મને તારા જીવનમાં પાછા આવી જવાની ‘ઑફર” કરી છે ખરી? અને મેં તને ન જાણે કેટલીય વાર કહ્યું છે કે ‘મિલન, આ જીવનમાં અમે જે મસ્તી અનુભવી રહ્યા છીએ એ મસ્તીનો સ્વાદ જીવન સમાપ્ત થતા પહેલાં તારેય અનુભવી લેવા જેવો છે !'
હકીકત જ્યારે આ જ છે ત્યારે મારે તને એટલું જ કહેવું છે કે આત્મા પરનું મોહનું જોર થોડુંક ઓછું કરી નાખ. તને ખ્યાલ આવી જશે કે તે જે મારા માટે વિચાર્યું હતું એમાં પાગલપન સિવાય બીજું કાંઈ જ નહોતું!