________________
ન નીકળે કે અશમાં જીવનને મસ્ત રાખવાની અને મનને પ્રસન્ન રાખવાની તાકાત ધરબાયેલી છે જ !
ગણિત સ્પષ્ટ છે.
જે પરિસ્થિતિ વ્યક્તિ માટે ત્રાસરૂપ બની રહી હોય. એનાથી વિપરીત પરિસ્થિતિ વ્યક્તિ માટે આશીર્વાદરૂપ બની જ રહેતી હોય છે.
આ જ ગણિતને તું દોષ-ગુણની બાબતમાં ગોઠવી દે જે, વાસના જો ત્રાસરૂપ છે તો ઉપાસના આશીર્વાદરૂપ બનવાની જ છે, ઉદ્ધતાઈ જો વેદનારૂપ છે તો વિનય વરદાનરૂપ બનવાનો જ છે. અહંકાર જો અજગર લાગે છે તો સમર્પણ પુષ્પની માળા લાગવાનું જ છે. ક્રોધ જો કલ્પાંતકારક છે તો ક્ષમા આનંદદાયક લાગવાની જ છે.
મારી એક વાત માનીશ
ક્રોધ જેટલી વાર કર્યો છે ને, એનો દસમો ભાગ નું માને આપી છે. એના જે લાભો તને અનુભવવા મળશે, એ અનુભવ પછી તું ક્રોધને કાયમના રામરામ કરી જ દઈશ.