________________
થતાં તું અટકી ગયો હોય એવા અનુભવમાંથી તું શું ક્યારેય જીવનમાં ગુજર્યો જ નથી?
રસ્તા પર ચાલતા કોકની ગાડી એકદમ તેજ ગતિથી તારા શરીરને સ્પર્શીને બાજુમાંથી નીકળી ગઈ હોય અને તું મરતા બચી ગયો હોય એવો અનુભવ તને શું જીવનમાં ક્યારેય થયો જ નથી ? - ટૂંકમાં, ભાવપ્રાણ અને દ્રવ્યપ્રાણ, બન્ને ય ખતમ થઈ જવાના બધા જ સંયોગો ઊભા થઈ ગયા હોવા છતાં એ બન્ને પ્રાણો સલામત રહી ગયા હોય એવા અનુભવો જીવનમાં તને પણ થયા હશે તો મને પણ થયા છે.
આ અનુભવોનો યશ તું કોને આપીશ ? આ અનુભવોના ચાલકબળ તરીકે તું કોનું નામ આપીશ ? આ અનુભવોના કેન્દ્રસ્થાને તું કોને રાખીશ?
વિવેક, મારે અને તારે, આ જીવનમાં એક જ કામ કરવાનું છે, મોહના એકછત્રી આધિપત્યથી આત્માને મુક્ત કરવાનું. એમાં સફળતા મળતાવેત પ્રભુની સતત વહી રહેલ કરુણા આપણા ખ્યાલનો વિષય બનીને જ રહેશે.