________________
૨૮
પ્રભુ છે' એ શ્રદ્ધા છે. પ્રભુ અચિજ્યશક્તિ સમ્પન છે' એ શ્રદ્ધા પણ છે. પ્રભુ કરુણાસાગર છે' એ શ્રદ્ધા પણ છે પરંતુ એ શ્રદ્ધાને દઢ બનાવે એવા સુખદ અનુભવોથી જીવન સર્વથા વંચિત છે. કોઈ સમાધાન?
| વિવેક, આંખ સામે જ મનોહર ઉદ્યાન હોવા છતાં દારૂડિયાને એ ઉદ્યાનની ભવ્યતાનો કોઈ જ ખ્યાલ નથી આવતો એની તો તને ખબર છે ને ? અત્તરની દુકાનમાં ખુરશી પર બેઠા બેઠા સૂઈ ગયેલ માણસને અત્તરની સુવાસની કોઈ જ અનુભૂતિ નથી થતી એ તો તારા ખ્યાલમાં છે ને ? બેહોશ માણસના શરીર પર ઑપરેશન ટેબલ પર ડૉક્ટર છરીઓ ફેરવતા હોવા છતાં એની કોઈ જ વેદના એ દર્દી અનુભવતો નથી એની તો તને ખબર છે ને?
બસ, પ્રભુની અચિજ્યશક્તિ સમ્પન્નતા, પ્રભુની અનંત કરુણા, પ્રભુની પરમ તારકતા, પ્રભુની મહાન સર્વજ્ઞતા, પ્રભુની અકારણ વત્સલતા, પ્રભુની નિષ્કારણ બંધુતા-આ તમામનો આપણને સતત અને પ્રતિપળ અનુભવ થઈ રહ્યો હોવા છતાં આપણને એની જો ખબર પડતી નથી તો એનું એક જ કારણ છે, આપણે મોહના નશામાં છીએ, આપણે વાસનાના નશામાં છીએ, આપણે મૂચ્છિત છીએ, આપણે લોભાંધ છીએ, આપણે ઉદ્ધત છીએ, આપણે ઉશૃંખલ છીએ.
વિવેક, એક પ્રશ્ન તને પૂછું ?
મન પાપ માટે તૈયાર હોવા છતાં, આંખ સામે પાપ માટેના સાનુકૂળ સંયોગો ઊભા થઈ ગયા હોવા છતાં, આકર્ષક પ્રલોભન આંખ સામે હાજર હોવા છતાં ય પાપમાં પ્રવૃત્ત
|
૫૫