________________
૨૦
લાખ પ્રયાસ પછી ય મનને અતીતની ગલત સ્મૃતિથી અને ભવિષ્યની ફોગટ ચિંતાથી મુક્ત રાખવામાં હું સફળ બની શકતો નથી. કોઈ એવો મંત્રખરો કે જે મનને સ્મૃતિ-ચિંતાથી મુક્ત કરીને જ રહે.
' રાજેશ, અંધને જીવનભરને માટે સુરક્ષિત કરી દેવાનો શ્રેષ્ઠ વિકલ્પ, એના હાથમાં લાકડી પકડાવી દેવી એ નથી પરંતુ એને આંખ આપી દેવી એ છે.
જે તકલીફથી મુક્ત થવા મારી પાસે મંત્રની માગણી કરી છે એ તકલીફ એવી નથી કે જે મંત્ર ગણવાથી દૂર થઈ જાય, એ તકલીફથી મુક્ત થવા તો સમ્યક સમજ જ કેળવવી જરૂરી છે. અને અહીં તને હું સમ્યક સમજની જ કંઈક વાત
અતીત એ છે કે જે વીતી ચૂક્યું છે, મરી ગયું છે, ચાલ્યું ગયું છે અને ભવિષ્ય એ છે કે જે આવ્યું જ નથી, જળ્યું જ નથી, ઉપસ્થિત જ થયું નથી. જ્યારે વર્તમાન એ છે કે જે અત્યારે હાજર જ છે, જીવંત જ છે, તારી સામે જ છે.
તારી ભાષામાં તને સમજાવું તો મૃત વ્યક્તિના થઈ ગયેલ અગ્નિસંસ્કાર એ અતીત છે. જેનો હજી જન્મ જ નથી થયો એવું બાળક એ ભવિષ્ય છે, જ્યારે તારી સામેજ ઊભેલો યુવાન પુત્ર એ વર્તમાન છે. | હું તને જ પૂછું છું.
તું ચિંતા કરે તો કોની કરે ? તું સાચવે તો કોને સાચવે ? તું માવજત કરે તો કોની કરે ? તારી સામે ઊભેલા યુવાન પુત્રની જ ને? .
બસ, મારે તને આ જ કહેવું છે. જો અતીતની સ્મૃતિ