________________
પ્રભુ આપોઆપ વિદાય થઈ ગયા !
એટલું જ કહીશ કે કેવળ સુખ માટે જ થતા પ્રભુસ્મરણને તું ‘પ્રભુપ્રેમ’નું લેબલ લગાવી ન બેસતો. સાચો પ્રભુપ્રેમ તો તને સુખમાં ય પ્રભુ પાછળ પાગલ બનાવતો રહેશે, સુખમાં ય નારા મનનો કબજો પ્રભુ જ જમાવીને બેસશે.
તું તો વેપારીનો દીકરો છે ને ? જવાબ આપ. મંદીમાં જ તને પૈસા યાદ આવે કે તેજીમાં ય તું પૈસા પાછળ પાગલ બન્ધો રહે ? બજારમાં જ તું સંપત્તિપ્રેમ ટકાવી રાખે કે ઘરમાં ય સંપત્તિ પ્રત્યેનો પ્રેમ હું અકબંધ રાખી દે ! યુવાવસ્થામાં જ સંપત્તિ તને ગમે કે વૃદ્ધાવસ્થામાં ય સંપત્તિ તને એટલી જ ગમે
પ્રભુપ્રેમને તું વાસ્તવિક બનાવવા માગે છે ને ? એક કામ કર. દર્દી ડૉક્ટરને પોતાના હૃદયમાં જે સ્થાન આપે છે એ નહીં પણ વેપારી પોતાના હૃદયમાં સંપત્તિને જે સ્થાન આપે છે એ સ્થાન તું પ્રભુને આપી દે. તારો પ્રભુપ્રેમ વાસ્તવિક બનીને જ રહેશે.
૧૬