SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Dossesses = = = = = જૈનશાસનમાં જિનપ્રતિમાને જિનસરખી જ માની છે. એટલે આપને જોતાં સાક્ષાત પ્રભુના દર્શન જેટલો આનંદ થયો. પ્રભુ કેવા છે તે બતાવ્યુ, “ગુણનીલો” પ્રભુ સર્વગુણોથી સંપન્ન છે. એક પણ ગુણ વિશ્વમાં એવો નથી જે પ્રભુમાં ન હોય અનંતગુણ સંપન્ન દેવાધિદેવ જેને ખાવાનું પણ ઠેકાણું નથી એવો દરિદ્રી ચક્રવતિને કેવી રીતે જુવે ? જોતાં તેને કેવા ભાવો થાય ? અનંતદોષોથી ભરેલા એવા આપણને અનંત ગુણસંપન્ન પરમાત્માના દર્શનમાં અત્યંત આહલાદનો અનુભવ થવો જોઈએ. પ્રભુના દર્શનથી શું લાભ થયો એ હવે બતાવે છે “દુઃખ ટળ્યા સુખ મળ્યા સ્વામી તુજ નિરખતાં” પ્રભુને જોવામાં એટલો બધો આનંદ છે કે દુઃખ બધા Sou. .૧ (૧૩) . . . જ વીસરાઈ ગયા છે, એટલું જ માત્ર નહિ પણ દુઃખો દૂર થઈ ગયા. જન્મથી દરિદ્રીને કરોડો અબજોની સંપત્તિ મળતા. કેટલો આનંદ થાય, જનમથી આંધળાને નિર્મળ ચક્ષુ પ્રાપ્ત થતાં કેટલો આનંદ થાય, વર્ષોથી વિરહના દુ:ખમાં ઝૂરતી સ્ત્રીને પતિ પ્રાપ્ત થતા કેટલો આનંદ થાય, અનંતકાળથી પ્રભુ વિના જગતમાં ચારગતિમાં પરિભ્રમણ કરતા જીવને પરમાત્મા મળતા આનાથી અનંતગુણ આનંદ થાય, કેમકે હવે પ્રભુ મળવાથી સંસારના ચાર ગતિમાં પરિભ્રમણ કરવાના, જન્મ મરણ-રોગ-શોક દરિદ્રતાદિ સઘળા દુઃખો હવે નાશ પામે છે. પરમાત્મા એટલા બધા મહાન છે કે પ્રભુના દર્શન ભાવપૂર્વક થવા માત્રથી દુ:ખના કારણભૂત કર્મો નાશ પામે છે. શુભાશુભકર્મોના તીવરસબંધમાં કારણભૂત પ્રણિધાન છે. પ્રણિધાન એટલે ચિત્તની એકાગ્રતા, અત્યાર સુધી સંસારના પદાર્થોમાં ચિત્તની એકાગ્રતાથી જીવે પાર ૧૫ (૧૪) ૧ ew WONOG વગરના અશુભકર્મો તીવ રસવાળા બાંધ્યા છે. હવે બરાબર તેથી વિપરીત પરમાત્માના દર્શનના પ્રશસ્ત પ્રણિધાનથી આ કર્મો બધા આત્મા પરથી ખરી પડે છે. આનંદથી કરેલ વિજાતીયના રુપના દર્શનથી કે આનંદથી ભોગવેલ પાંચે ઈંન્દ્રિયોના વિષયોના ભોગથી કે આનંદથી કરેલ હિસાદિ પાપોથી આત્માએ અશુભકર્મના થોક ભેગા કર્યા છે. હવે પરમાત્માના અત્યંત આનંદથી દર્શન કરતા અશુભ કર્મના થોક દૂર થાય છે અને શુભ પુણ્ય પ્રકૃતિઓ એકઠી થાય છે. પરિણામે દુ:ખો બધા ટળી જાય છે અને ઉચ્ચકોટિના ચક્રવર્તી દેવેન્દ્રાદિપણાના સુખની પ્રાપ્તિ થાય છે. આગળ જતા છેક સિદ્ધિના સુખ પ્રગટ થાય છે. એક જ વાત મહત્ત્વની છે– પરમાત્માના દર્શનમાં આનંદ અનુભવતાં શીખો. કવિઓ અન્યત્ર પણ કહે છે“દષભને જોઈ જોઈ હરખે જેહ ત્રિભુવન લીલા પામે તેહ...” “તુજ મુખ મુદ્રા નિરખી હરખુ ચાતક જિમ જલધરને રે..” “તુજ મૂરતિ નિરખે સો પાવે, સુખ જસ લીલ ઘણી..” જળના પ્યાસી ચાતકપક્ષી આકાશના વાદળને જોઈને આનંદ પામે છે. આત્મ સ્વરૂપનો પ્યાસી આપણો જીવ સંપૂર્ણ આત્મસ્વરૂપ પ્રગટ થયું છે જેમને અને સંપૂર્ણ આત્મસ્વરૂપ આપણું પ્રગટ થાય છે જેનાથી તેવા દેવાધિદેવને જોઈને આનંદ કેમ ન પામે ? આ બહુ ઉત્તમ યોગ છે. પ્રભુ પ્રતિમાને જોયા જ કરો, જોયા જ કરો, જોઈ જોઈને દયમાં આનંદ ઉત્પન્ન કરતા જાવ આગળ વધતા ઝુમો, નાચો, આનંદ પ્રગટ જે જે રીતે થતો હોય તે તે બધુ જ કરો... પ્રભુ દર્શન-સ્તવના કરતા રાવણે તીર્થકર નામકર્મ બાંધ્યું. પ્રભુ પૂજન કરતા કરતા આનંદ અને પ્રણિધાનથી નાગકેતુએ કેવળજ્ઞાન લીધુ. પ્રભુપૂજા કરતા જયતાક (બહારવટીયો) કુમારપાળ થયો. અઢારદેશનો અધિપતિ Der beslo (16) elok bem SubsN® (૧૫) ગse
SR No.008929
Book TitleRushabh Jinraj Muz Aaj din Aatam Bhalo
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2008
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size267 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy