________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન થોથું )
સિદ્ધ પદ
ધ્યાન સાથે કમળનો સંબંધ :
પરમ ઉપકારી પૂજ્ય આચાર્યભગવાન શ્રી રત્નશેખરસૂરિજી મહારાજ શ્રી શ્રીપાળની કથાના પ્રારંભમાં એ વાત કહે છે કે “અરિહંત આદિ નવપદોનું હૃદયકમળમાં ધ્યાન ધરીને હું સિદ્ધચક્રનો મહિમા બતાવું છું', આથી એ વાત ફલિત થાય છે કે નવપદનું ધ્યાન હૃદયકમળમાં કરવું જોઈએ. એટલે ધ્યાન અને કમળનો કોઈ સંબંધ હોવો જોઈએ. આપણામાંથી કેટલાકે કમળ જોયું પણ નહીં હોય! તો પછી કમળની કલ્પના જ કેવી રીતે આવે, અને એમાં ધ્યાન પણ કેવી રીતે ધરે? ધ્યાનનો કમળ સાથે કોઈ વિશિષ્ટ સંબંધ છે જ.
કવિઓએ કમળનો હૃદય સાથે સંબંધ દર્શાવ્યો છે, જ્ઞાનીઓએ તેમજ ગણધર ભગવંતોએ હૃદયને કમળ કહ્યું છે! યોગી પુરૂષોએ હૃદયને કમળ કલ્પી, તેમાં ધ્યાન ધર્યા છે. ધ્યાન ધરીને વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે! માટે હૃદયકમળની કલ્પના સ્પષ્ટ થવી જોઈએ. કમળ જોવું જોઈએ.
આજે જે વિવેચન ચિંતન કરવું છે, તે મહત્ત્વપૂર્ણ છે, તે માટે સાગોદનું આ શાંતિધામ અનુકૂલ સ્થાન છે. જેમ એકાત્ત પ્રશાન્ત સ્થાન ધ્યાન માટે અનુકૂળ હોય છે, તેમ ધ્યાનની વાતો પણ એવા જ સ્થાનમાં થાય તો તે જલદી હૃદયસ્પર્શી બને. આજે સિદ્ધ ભગવંતનું ધ્યાન ધરવાનું છે. ધ્યાન ધરવાનું જેમાં છે; તે કમળને સમજવું જરૂરી છે. હૃદયને કમળ બનાવો :
ધ્યાન ધરવાનું છે હૃદયમાં, હૃદયને જ્ઞાની પુરૂષોએ કમળ કહ્યું. હૃદયરૂપી કમળમાં! બજારમાં વેચાતાં મળતાં કમળમાં નહીં! કાગળનાં કે પ્લાસ્ટિકનાં કમળમાં નહીં. હૃદયને કમળ બનાવો! તે કમળમાં નવપદની સ્થાપના કરો, પછી તેનું ધ્યાન ધરો.
હૃદય અને કમળનો શો સંબંધ? હૃદયને ઉપમા દેવાય છે, તે કોઈક ને કોઈક સામ્યતા-સમાનતાને લઈને, જો કોઈ જ સમાનતા ન હોય તો ઉપમા ન દેવાય. તો હૃદય અને કમળમાં કઈ સમાનતા છે?
For Private And Personal Use Only