________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪
પ્રીત કિયે દુઃખ હોય રાગ.. તીવ્ર રાગ.. આવી જ સ્થિતિ પેદા કરે છે મંજરી! તારે એ રાગ ઓછો કરવો પડશે... સંબંધોની અનિત્યતાને વારંવાર વિચારીને એ રાગના વિષને ઉતારવું પડશે... સંબંધોની અનિત્યતાનું ચિંતન જ તને શાંતિ આપશે... સ્વસ્થતા આપશે... અને એક દિવસ તારું મન સંબંધોનાં બંધનોથી મુક્ત થઈ જશે. - જ્યારે ગુરુદેવે અમારા પૂર્વભવનું વર્ણન કર્યું... અમે જાતિસ્મરણ જ્ઞાનથી એ જોયું-જાણ્ય... ત્યારે કર્મોની કુટિલતા અમને સમજાણી. આ સંસારમાં જીવ કષાયોને પરવશ બનીને પાપકર્મો તો આચરી લે છે... પરંતુ એનાં ભયંકર પરિણામ કેવાં આવે છે? બાર ઘડીનાં કરેલાં પાપ બાર વરસની સજા આપી ગયાં...! જ્યારે મેં તો આ જ ભવમાં કેવું ઘોર પાપ કર્યું છે? મારે એ બાંધેલાં પાપ કર્મોનો ઉગ્ર તપશ્ચર્યાથી નાશ કરવો છે... હવે આ સંસારનાં સુખો પ્રત્યે મારું મન સંપૂર્ણ વિરક્ત બન્યું છે.
તું એમ ન માનીશ કે તારા પ્રત્યે અમને અભાવ થયો છે.. તારા પ્રત્યેનો પ્રેમ વિશુદ્ધ બન્યો છે. પ્રેમનો વિષય હવે તારો દેહ નહીં, પરંતુ તારો આત્મા બન્યો છે. આત્માનો આત્મા સાથેનો પ્રેમ! અદૂભૂત હોય છે એ પ્રેમ! દેહ જુદા રહેવા છતાં એ પ્રેમ અભંગ રહે છે. એક દિવસ એવો આવશે કે આપણા ત્રણેયના આત્માઓ અભેદભાવે મળી જશે! ત્રણેય આત્મજ્યોતિ પરસ્પર મળી જશે! પછી ક્યારેય વિયોગ નહીં થાય... અનંતકાળ માટે સંયોગ!
પુત્રની જવાબદારી તારા પર નાંખી દઈને હું મારો સ્વાર્થ તો નથી સાધતો ને? મને આ વિચાર આવી ગયો. મેં હમણાં મૌનપણે એ અંગે જ વિચાર્યું. તને એકલી મૂકીને.. જવાબદારી તારા પર મૂકીને ત્યારે જ નીકળી શકાય..
જ્યારે તું પ્રસન્નચિત્તે વિદાય આપે! તું મારી માનસિક અને આત્મિક સ્થિતિનો વિચાર કરીને. સંસારત્યાગ કરવાની મારી ભાવનાને અનુમોદે!
તું પણ સંયમધર્મ સ્વીકારવા તૈયાર થઈ છે- એ જાણીને મને અપાર આનંદ થયો છે. અમારી પાછળ તું પણ આવીશ જ સંયમના માર્ગે.. પુત્રને પણ દૂધની સાથે આત્મજ્ઞાનનાં અમીપાન કરાવજે. ત્યાગ અને વૈરાગ્યના આદર્શોનું પાન કરાવજે.”
અમરકુમાર નહોતો બોલતો, એનું હૃદય બોલતું હતું. ગુણમંજરી મુગ્ધ બનીને સાંભળી રહી હતી. એક એક શબ્દ એના હૃદયને સ્પર્શ કરતો હતો. તેના મુખ પર સ્વસ્થતા આવી. તેની આંખોમાં મૌન પથરાઈ ગયું.
For Private And Personal Use Only