________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૬
પ્રશમરતિ ક સાતમો સમુદ્રઘાત સર્વજ્ઞોને હોય છે, માટે તે કેવળી-સમુદ્દાત કહેવાય છે. વેદના-સમુદ્યાત :
વેદનાથી દુઃખી થયેલો આત્મા, અનંત કર્મોથી આવરાયેલા પોતાના આત્માનેઆત્મપ્રદેશોને શરીરમાંથી બહાર કાઢે અને શરીરના જે મુખ વગેરે પોલા ભાગો હોય તેને આત્મા પ્રદેશોથી પૂરી દે છે. શરીરપ્રમાણ આત્મા વ્યાપક બનીને અંતર્મુહૂર્ત સુધી રહે. એ અંતર્મુહૂર્તમાં અશાતા-વેદનીય કર્મના ઘણા અંશોનો નાશ કરે છે. આ રીતે એક અંતર્મુહૂર્તનો કાળ વેદના સમુદ્રઘાતનો હોય છે.
કષાય-સમુધાત :
કષાયોથી વ્યાકુળ જીવાત્મા, શરીરના પોલા ભાગોને આત્મપ્રદેશોથી ભરી દઈ, શરીરવ્યાપી બને, એક અંતર્મુહૂર્ત-કાળમાં કષાય-મોહનીય કર્મના ઘણા અંશોનો નાશ કરે ઇ .
મરણાન્તિક-સમુદ્રઘાત :
મૃત્યુના ભયથી વ્યાકુળ બનેલો જીવ, જ્યારે એક અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહ્યું હોય ત્યારે શરીરના પોલા ભાગોને આત્મપ્રદેશોથી ભરી દઈને, શરીર જેટલી જાડાઈ-પહોળાઈવાળો બને છે. પરંતુ લંબાઈમાં જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલો તથા ઉત્કૃષ્ટથી એક દિશામાં ઉત્પત્તિસ્થાન સુધી અસંખ્ય યોજન જેટલો બને છે, પછી અંતર્મુહુર્ત-કાળમાં આયુષ્ય કર્મનાં ઘણાં દલિકોનો નાશ કરીને મૃત્યુ પામે છે.
વૈક્રિય-સમુઘાત :
વૈક્રિય શક્તિવાળો જીવ, શરીરમાંથી આત્મપ્રદેશોને બહાર કાઢી, શરીરના પોલા ભાગોને આત્મપ્રદેશથી ભરે છે. જાડાઈ-પહોળાઈમાં શરીર પ્રમાણ બને છે પરંતુ લંબાઈમાં સંખ્યાતા યોજનની દંડાકૃતિ બનાવે છે. અંતર્મુહૂર્ત-કાળ આ પ્રમાણે રહીને વૈક્રિય-શરીર નામકર્મના ઘણા દલિકોનો નાશ કરે છે. તેજસ-સમુદ્ધાત :
તેજલેશ્યા' નામની શક્તિવાળો જીવ, વૈક્રિય સમુદ્દઘાતની જેમ જે સ્વશરીરપ્રમાણ જાડો-પહોળો બને છે અને સંખ્યાત યોજન પ્રમાણ દંડાકૃતિ બનીને અંતર્મુહૂર્ત-કાળમાં તૈજસના અંશોનો નાશ કરે છે.
For Private And Personal Use Only