________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવળજ્ઞાન
પ૭૩ કરવામાં આવી છે. એ શંકાનું સમાધાન યુક્તિપૂર્વક કરવામાં આવેલું છે. નિસૂિત્રમાં
મૂર્ત-અમૂર્ત, અભિલાય-અનભિલા એવા સર્વ દ્રવ્યોને, સર્વ પર્યાયોને ળિજ્ઞાનથી જ તીર્થકર વગેરે જાણે છે. શ્રુતજ્ઞાનથી નથી જાણતા. કારણ કે શ્રુતજ્ઞાન લાયોપથમિક હોય છે. કેવળજ્ઞાનીને ચારેય ઘાતી કર્મોનો સર્વથા ક્ષય થઈ ગયો હોવાથી ક્ષયપશમ ભાવ ન જ હોય.
કેવળજ્ઞાની છે અને જાણે છે તેમાં જે પ્રરૂપી શકાય કહી શકાય એવા] એવા ભાવો હોય તે જ કહે છે. ન પ્રરૂપી શકાય એવા હોય તે નથી કહેતા. પ્રશ્ન : કેવળજ્ઞાની પ્રજ્ઞાપનીય-પ્રરૂપણીય બધા અર્થો કહે છે?
ઉત્તર : ના, બધા જ પ્રજ્ઞાપનીય અર્થ ન કહી શકે! કારણ કે આયુષ્ય પરિમિત હોય છે અને કથાનીય ભાવો અપરિમિત હોય છે. માટે, ગ્રહણ કરવાની શક્તિની યોગ્યતા જોઈને તેઓ કથનીય ભાવો કહે છે. પ્રશ્ન : એ અર્થકથન માટે જે શબ્દરાશિ વપરાય છે તે દ્રવ્યશ્રુત ખરું કે
નહીં?
ઉત્તર : ના, એ “વચનયોગ' હોય છે. કેવળજ્ઞાનીને વચનયોગ હોય, વચનયોગ કર્મોદયજન્ય હોય છે. શ્રુતજ્ઞાન તો ક્ષાયોપશમિક હોય છે! કેવળજ્ઞાનીને આ ન હોય. તેમને તો ક્ષાયિક જ્ઞાન જ હોય.
પ્રશ્ન : વચનયોગ ભલે નામકર્મના ઉદયથી હોય, પરંતુ બોલાતા પુદ્ગલાત્મક શબ્દનું શું?
ઉત્તર : તે પુદ્ગલાત્મક શબ્દ, શ્રોતાઓના ભાવથુતનું કારણ બની શકે છે, તે અપેક્ષાએ એને ‘દ્રવ્યશ્રુત’ કહી શકાય, પરન્તુ ભાવકૃત ન કહેવાય. પ્રશ્ન : ભાવશ્રુત કોને કહેવાય?
ઉત્તર : છબસ્થ ગણધર વગેરેને શ્રુતગ્રસ્થાનુસારી જે જ્ઞાન હોય તે ભાવથ્થત કહેવાય, તે ક્ષાયોપથમિક હોય.
છે કેવળજ્ઞાની જ્યારે બોલે છે ત્યારે તરત જ તે શબ્દો “શ્રત નથી બની જતા, પરંતુ શ્રવણ કર્યા પછીના કાળમાં જ્યારે શ્રોતાને ભાવકૃત પ્રાપ્ત થાય ત્યારે માત્ર ઉપચારથી કારણરૂપે તે શબ્દોને શ્રુત કહેવાય.
છે અથવા “વાસુ વહુ ફ્રિ આ જિનવચન મુજબ, કેવળજ્ઞાનીનો વચનયોગ, શ્રોતાના ભાવકૃતનું કારણ હોવાથી “દ્રવ્યશ્રત' બને છે.
For Private And Personal Use Only