________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૪૫
લેશ્યા
ચોથા મિત્રે કહ્યું : નાની ડાળીઓ શા માટે તોડવી જોઈએ? ફળના ગુચ્છાઓ તોડી લઈએ! આપણે તો ફળ જ ખાવાં છે ને? ડાળીઓ તોડવાની જરૂર નથી.
પાંચમા મિત્રે કહ્યું : ગુચ્છા પણ તોડવાની જરૂર નથી. ગુચ્છામાં તો કાચાપાકાં બધાં ફળ હોય. આપણે તો પાકાં ફળ જોઈએ છે. એટલે વૃક્ષને અને ડાળીઓને હચમચાવી નાંખો, પાકાં ફળ ખરી પડશે. એ ખાઈશું.
છઠ્ઠા મિત્રે સહુને પ્રેમથી સમજાવતાં કહ્યું : શા માટે બિચારા વૃક્ષને કાપવું? શા માટે ડાળીઓ તોડવી? શા માટે વૃક્ષને હચમચાવવું ? જુઓ, જમીન ઉપર અનેક પાકાં ફળ પડેલાં જ છે, તે લઈ લો અને ખાઓ. વ્યર્થ શા માટે વૃક્ષને નુકસાન કરવું?
આ છ વેશ્યાઓને સ્પષ્ટતાથી સમજાવતી ઉપનય કથા છે. પહેલો મિત્ર એ કૃષ્ણલેશ્યા છે, બીજો નીલલેશ્યા, ત્રીજો કાપોતલેશ્યા, ચોથો તેજોવેશ્યા, પાંચમો પદ્મવેશ્યા અને છઠ્ઠો શુક્લલેક્ષા છે. તે તે વેશ્યાવાળાના કેવા કેવા વિચારો હોય, તે આ ઉપનયકથા સ્પષ્ટતાથી સમજાવે છે.
- आवश्यकसूत्र० अ०४) सू. ६/ हारि० टीका (૨) છ ડાકુઓ કોઈ ગામને લૂંટવા જઈ રહ્યા હતા. તે છએના મનમાં લેશ્યાજનિત પોતપોતાના પરિણામોના અનુસાર જુદા જુદા વિચાર જાગ્રત થયા. ગામને લૂંટવા અંગે દરેકે પોતપોતાના વિચારો રજૂ કર્યા.
પહેલા ડાકુએ કહ્યું : જે કોઈ મનુષ્ય કે પશુ આપણી સામે આવે તે બધાને મારી નાંખવા જોઈએ.
બીજા ડાકુએ કહ્યું : પશુઓને મારવાથી શું લાભ? મનુષ્યોને મારવા જોઈએ; કે જેઓ આપણો વિરોધ કરે છે,
ત્રીજા ડાકુએ કહ્યું : સ્ત્રીઓને ન મારવી જોઈએ, પુરુષોને જ મારવા જોઈએ.
ચોથા ડાકુએ કહ્યું : દરેક પુરુષને ન મારવો જોઈએ. જે પુરુષ પાસે શસ્ત્રો હોય એને જ મારવો જોઈએ.
પાંચમા ડાકુએ કહ્યું : શસ્ત્રસહિત પુરુષ પણ જે આપણને જોઈને ભાગી જાય તેને ન મારવો જોઈએ. સશસ્ત્ર પુરુષ કે જે આપણો સામનો કરે, એને મારવો જોઈએ.
છઠ્ઠા ડાકુએ કહ્યું : આપણે તો ધન જોઈએ છે. ધન લુંટવું જોઈએ, માણસોને શા માટે મારવા જોઈએ? માત્ર ધન લૂંટવું જોઈએ. આ રીતે છ લશ્યાઓને ઉપનયકથાથી સમજાવી.
-आवश्यकसूत्र अ० ४/ सू. ६/ हारि० टीका
For Private And Personal Use Only