________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૩
લેશ્યા
તેજલેશ્યા : ઠાણાંગસુત્રમાં તપોલબ્ધિથી પ્રાપ્ત થતી તેજલેશ્યાનું વર્ણન પ્રાપ્ત થાય છે. તે તેજલેશ્યા પાંગલિક હોય છે એટલે કે દ્રવ્યલેશ્યા હોય છે. આ તેજોવેશ્યા અને વેશ્યાઓના છ ભેદોમાં આવતી તેજલેશ્યા જુદી હોય, એમ સમજાય છે. આ તેજોલેશ્યા ત્રણ સ્થાનોથી પ્રાપ્ત થાય છે : ૧. આતાપનાથી (શીત-તાપ વગેરે સહન કરવાથી). ૨. ક્ષમાથી (ક્રોધનિગ્રહ કરવાથી). ૩. અપાનકેન તપકર્મ કરવાથી. (છઠના પારણે છઠ કરવાથી)
આ તેજલેશ્યા બે પ્રકારની હોય : ઉષ્ણ તેજોલેશ્યા ને શીત તેજોલેશ્યા. ભગવતી સૂત્રના પંદરમા શતકમાં ભગવાન મહાવીરસ્વામી ગૌતમને કહે છે કે, “હે ગૌતમ! મખલીપુત્ર ગોશાલક ઉપર અનુકંપા લાવીને મેં વેશ્યાયન બાલતપસ્વીની તેજલેશ્યાનો પ્રતિસંહાર કરવા માટે શીત તેજલેશ્યા બહાર કાઢી અને મારી શીતલેગ્યાએ વેશ્યાયન બાલતપસ્વીની ઉષ્ણ તેજલેશ્યાનો પ્રતિઘાત કર્યો.....
આ પાઠથી-પ્રતિપાદનથી બે પ્રકારની વેશ્યાઓ હોય છે, તે સિદ્ધ થાય છે. તપઃકર્મથી તેજલેશ્યા પ્રાપ્ત કરવાની વિધિ ભગવતીસૂત્રના પંદરમાં શતકમાં બતાવવામાં આવી છે. દેવોની તેજોલેશ્યા અને શ્રમણોની તેજલેશ્યા :
શ્રી ભગવતીસૂત્રના ચૌદમા શતકમાં દેવોની તેજલેશ્યા સાથે શ્રમણની તેજોવેશ્યાની તુલના બતાવવામાં આવી છે. આ તેજલેશ્યા પણ છ પ્રકારની વેશ્યાઓમાંની તેજોવેશ્યા નથી, એમ સમજાય છે. આ તેજલેશ્યા એટલે આન્તરિક સુખ, આન્તર આનન્દ છે. ટીકાકારે પણ તેજલેશ્વાનો અર્થ સુવરામ' કરેલો છે.
એક મહિનાના દીક્ષા પર્યાયવાળો શ્રમણ વાણવ્યંતરદેવોની તેજલેશ્યાને અતિક્રમી જાય છે. બે મહિનાના દીક્ષાપર્યાયવાળ શ્રમણ ભવનપતિદેવોની તેજલેશ્યાને અતિક્રમી જાય છે. ત્રણ મહિનાના પર્યાયવાળો અસુરકુમાર દેવોની, ચાર મહિનાના પર્યાયવાળો જ્યોતિષદેવોની, પાંચ મહિનાના પર્યાયવાળો સૂર્ય-ચંદ્રની, છ મહિનાના પર્યાયવાળો સૌધર્મ-ઈશાન દેવોની, સાત મહિનાના પર્યાયવાળો સનત્કુમાર-મહેન્દ્રની, આઠ મહિનાના પર્યાયવાળો બ્રહ્મ અને લાંતકદેવોની, નવ મહિનાના આનત-પ્રાણત-આરણ અને અય્યતની, અગિયાર મહિનાના
For Private And Personal Use Only