________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્તાત્માનું ઊર્ધ્વગમન જ કેમ?
૪૮૯ - સંગના અભાવથી,
બંધન તૂટવાથી અને છે તેવા પ્રકારના ગતિપરિણામથી. મુક્ત જીવ ઊર્ધ્વગતિ કરે છે, ઊંચે જાય છે.
‘સમુદ્રઘાત' ની ક્રિયા પૂર્ણ કર્યા પછી, યોગનિરોધ કરવા માટે આત્મા ત્રીજું શુક્લધ્યાન (સૂક્ષ્મક્રિયા-અનિવૃત્તિ) ધ્યાવે છે અને છેલ્લે પોતાના ચરમ શરીરનો ત્રીજો ભાગ ઓછો કરે છે. શરીરના પોલા ભાગો પૂરીને) તે “પૂર્વપ્રયોગ'ના સંસકારો આત્મામાં રહેલા જ હોય છે, તે સંસ્કાર એટલે ઊર્ધ્વગમનને અનુકૂળ ક્રિયાશીલતા.
જેમ કુંભાર પહેલાં દંડાથી ચક્ર ઘુમાવે છે, પછી દંડો લઈ લે છે છતાં ચક્ર તો ઘૂમ્યા જ કરે છે, તેવી રીતે પૂર્વપ્રયોગ પૂરો થઈ ગયા પછી પણ આત્મામાં ઊર્ધ્વગમનના (ગતિના) સંસ્કાર રહી ગયેલા હોય છે, તે સંસ્કારથી ઊર્ધ્વગમન કરે છે.
સંગ એટલે લેપ. અસંગ એટલે નિલેપ, લેપ ઊતરી જતાં જેમ તુંબડું પાણીની નીચેથી ઉપર આવે છે, તેવી રીતે નિર્લેપ આત્મા ઊર્ધ્વગતિ કરે છે.
છે જેમ એરંડાનું ફળ ફૂટતાં જ એનાં બીજ ઊંચે ઊછળે છે, તેમ કર્મનાં બંધન તૂટતાં જ આત્મા ઊંચે ગતિ કરે છે.
-ધીનો કે તેલનો દીપક સળગાવવામાં આવે છે તો એની દીપશિખા ઊર્ધ્વ જ જાય છે. નીચી નથી જતી કે તીરછી નથી જતી. હા, કોઈ નિમિત્ત પામીને નીચી કે તીરછી જાય તે જુદી વાત છે, નિમિત્ત ન હોય તો તે ઊર્ધ્વ જ જાય છે. આ જ રીતે મુક્તાત્મા પણ ઊર્ધ્વગમન જ કરે છે, આને “ગતિપરિણામ” કહેવામાં આવે છે,
જીવ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય સ્વભાવથી જ ગતિશીલ છે. પુદ્ગલ દ્રવ્ય સ્વભાવથી અધોગતિશીલ છે અને જીવ દ્રવ્ય સ્વભાવથી ઊર્ધ્વગતિશીલ છે...સંસારમાં જીવને અધોગતિ કરતો તે તીરછી ગતિ કરતો જોવામાં આવે છે, તે શરીરસંગ કે કર્મના બંધનના લીધે. જ્યારે એ સંગ અને બંધન છૂટી જાય છે ત્યારે મુક્ત જીવ પોતાના સ્વભાવ પ્રમાણે ઊર્ધ્વગતિ જ કરે છે. આ જ વાત દ્રવ્યથાશમાં ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ પણ કરી છે :
For Private And Personal Use Only