________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૮૨
પ્રશમતિ
* જ્ઞાનોપયોગને ‘સાકારોપયોગ’ કહ્યો છે. દર્શનોપયોગને ‘અનાકારોપયોગ’ કહ્યો છે.
૧૫૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધોના કેવળજ્ઞાનને ‘સાકારોપયોગ’ કહેલો છે. સર્વ લબ્ધિઓની પ્રાપ્તિ ‘સાકારોપયોગ’માં માનેલી છે. ‘સિદ્ધ’ બનવું એ પણ એક પ્રકારની લબ્ધિ છે, માટે પહેલા જ સમયે મુક્તાત્મા સાકારોપયોગ જ્ઞાનોપયોગ]માં હોય. બીજા સમયે દર્શનોપયોગમાં [અનાકારોપયોગ હાંય. [શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીના મતે એક જ સમયે જ્ઞાનોપયોગ-દર્શનોપયોગ હોય છે મુક્તાત્માને, અર્થાત્ એમણે સાકારોપયોગ જ માનેલો છે.
ગ્રન્થકાર હવે મોક્ષના સુખનું અને મુક્તાત્માના સ્વરૂપનું વર્ણન કરે છે
મોક્ષસુખ
सादिकमनन्तमनुपममव्यावाधसुखमुत्तमं प्राप्तः ।
केवलसम्यक्त्वज्ञानदर्शनात्मा भवति मुक्तः || २०९ ।।
અર્થ : ``સાદિ-અનન્ત, અનુપમ અને અવ્યાબાધ ઉત્તમ સુખને પામલે મુક્તાત્મા, કેવળ સમ્યકૃત્વસ્વરૂપ, કેવળજ્ઞાન સ્વરૂપ, કેવળ દર્શનસ્વરૂપ હોય છે.
વિવેચન : જો કે મુક્તાત્માના સુખનું વર્ણન કરવું જ શક્ય નથી, છતાં 'નમો સિદ્ધાનં‘ નો જાપ કરનાર આત્મા કાલી-ઘેલી વાણીમાં વર્ણન કર્યા વિના રહી શકતો નથી! મુક્તાત્માના શ્રેષ્ઠ-ઉત્તમ સુખને ત્રણ વિશેષણ આપવામાં આવ્યાં છે ઃ ૧. સાદિ-અનંત, ૨. અનુપમ, અને ૩. અવ્યાબાધ.
૧. આદિ=પ્રારંભ. સહઆદિ=પ્રારંભવાળું...મુક્તાત્માનું સુખ પ્રારંભવાળું હોય છે. એના સુખની શરૂઆત થાય છે! તેનું સુખ અનાદિ નથી. સર્વ કર્મોનો ક્ષય થાય છે ત્યારે આત્મામાં સુખની ઉત્પત્તિ થાય છે...માટે તેને ‘સાદિ’ કહેવાય. સાદ છે, છતાં અનંત છે! એ સુખનો ક્યારેય અંત આવતો નથી. અમર આત્માનું સુખ અનન્ત જ હોય.
૨. દુનિયામાં એવી કોઈ ઉપમા નથી કે જે મુક્તાત્માના સુખને આપી શકાય.
.
१५७. सव्वाओ लद्धिओ जं सागारोवओगलाभाओ ।
तेणेह सिद्धलद्धी उप्पज्जइ तदुवउत्तस्स || विशेषावश्यक भाष्य - टीकायाम् १५८. अपज्जवसिअमेव सिद्धसुक्खं इत्तो चेयुत्तमं इमं । [ अपर्यवसित= अनन्त
श्री पंचसूत्रे / सूत्र- ५
For Private And Personal Use Only
J