________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४८
પ્રશમરતિ જે જીવાત્મા મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી આક્રાન્ત હોય છે તેને સર્વજ્ઞ-વીતરાગ પરમાત્મા ન ગમે, અમનો બતાવેલો ધર્મ ન ગમે. એમનું ધર્મશાસન ન ગમે. એને રાગી-હેપી પરમાત્મ-સ્વરૂપ ગમે. એ અધર્મને ધર્મ માને અને કુગુરુને સુગુરુ માને અથવા તો ધર્મ, ગુર કે પરમાત્માન માને જ નહીં.
જે જીવાત્મા મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી આક્રાન્ત હોય છે તે થોડીક મિનિટો માટીઅન્તર્મુહૂર્ત મધ્યસ્થ રહે છે. નથી હોતો એને સર્વજ્ઞભાષિત ધર્મ પર રાગ કે નથી હોતો એને કેપ.
જે જીવાત્મા સમ્યક્ત્વ મોહનીય કર્મની અસર નીચે હોય છે, તેને અવારનવાર સર્વજ્ઞાપિત ધર્મતત્ત્વોમાં શંકા થયા કરે છે. સમ્યક્ત્વ-મોહનીય કર્મ મિથ્યાત્વ મોહનું જ શુદ્ધ સ્વરૂપ છે. મોહનો પ્રબળ આવેગ ઊછળતાં તે પુનઃ મિથ્યાત્વના ભાવમાં ચાલ્યો જાય છે.
ચારિત્ર મોહનીય કર્મના બે પ્રકાર છે : ૧. કપાય મોહનીય (૧૬) ૨. નો-કપાય મોહનીય૯િ
અનન્તાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ [૪] છે. અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભ [૪] છે. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભ [૪]. - સંજવલન ક્રોધ-માન-માયા-લોભ [૪] છે અનન્તાનુબંધી કપાય, જીવાત્મામાં સમ્યગુદર્શન-ગુણ પ્રગટવા નથી દેતા.
અપ્રત્યાખ્યાનાવરણ કપાય, જીવાત્મામાં ગૃહસ્થોચિત વ્રત-ગુણ પ્રગટવા નથી દેતા.
પ્રત્યાખ્યાનાવરણ કપાય, જીવાત્મામાં સર્વવિરતિ-સાધુતા પ્રગટવા નથી દેતા. ૧૨૨. મિઆજ્ઞાનજનિત લકિક વાસનાના પ્રભાવે આત્માથી ભિન્ન એવા શરીરમાં આત્માના અત્યંત અભેદનું મિથ્યાજ્ઞાન પ્રવર્તે છે. પાંગલિક ધનસંપત્તિ વગરમાં મમત્વબુદ્ધિ ઉત્પન્ન થાય છે. અલ્પજ્ઞ-અનાપ્ત પુરુષનાં રચલાં શાસ્ત્રના અધ્યયનથી ‘આત્મા અંકાને નિત્ય છે, અથવા ક્ષણિક છે, આવી મિથ્થાબુદ્ધિ જન્મે છે. કુ-પ્રવચનનિર્દિષ્ટ સ્વર્ગાદિનાં સુખનાં સાધનોમાં મમત્વબુદ્ધિ ઉત્પન્ન થાય છે.
ઉપદેશ રહસ્ય'માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી,
For Private And Personal Use Only