________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જીવનું લક્ષણ
सामान्यं खलु लक्षणमुपयोगो भवति सर्वजीवानाम् । साकारोऽनाकारश्च सोऽष्टभेदश्चतुर्धा तु । । १९४ । ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ : સર્વ જીવોનું સામાન્ય લક્ષણ ઉપયોગ છે. તે ઉપયોગના બે પ્રકારે છે : સાકાર અને અનાકાર. સાકાર ઉપયોગના આઠ પ્રકાર અને અનાકાર ઉપયોગના ચાર પ્રકાર
છે.
..
વિવેષન : સમગ્ર વિશ્વ જીવ અને જડ તત્ત્વોનું મિશ્રણ છે. ‘આ જીવ છે, જડ નથી' આવો નિર્ણય કરવા માટે કોઈ નિર્ણાયક તત્ત્વ જોઈએ. એ નિર્ણાયક તત્ત્વ છે લક્ષણ. લક્ષણથી લક્ષ્યનો નિશ્ચય થઈ શકે છે. લક્ષણનો એવો નિયમ હોય છે કે એ
* લક્ષ્યમાં જ રહે.
* લક્ષ્મતરમાં ન રહે.
* લક્ષ્યમાં સર્વત્ર રહે.
જેવી રીતે જ્ઞાની પુરુષોએ જીવનું લક્ષણ બતાવ્યું છે તેવી રીતે અજીવનું પણ લક્ષણ બતાવ્યું છે. પ્રસ્તુતમાં સર્વજીવોનું લક્ષણ બતાવ્યું છે :
ઉપયોગ : આ ઉપયોગ શબ્દ જૈન તત્ત્વજ્ઞાનની પરિભાષાનો શબ્દ છે. ચાલુ સંસાર-વ્યવહારના અર્થમાં આ શબ્દ નથી સમજવાનો, જેમ કે : ‘હું વરસાદમાં આ છત્રીનો ઉપયોગ કરું છું.' ‘આ ઊનનાં કપડાંનો ઉપયોગ હું શિયાળામાં કરું છું...' આ સંસારવ્યવહારમાં પ્રયોજાયેલો ‘ઉપયોગ' શબ્દ છે. પ્રસ્તુત ‘ઉપયોગ’ શબ્દ ‘બોધરૂપ વ્યાપારના અર્થમાં પ્રયોજાયેલો છે.
પ્રશ્ન : બોધરૂપ વ્યાપાર આત્મામાં જ કેમ થાય છે? જડમાં કેમ નહીં? ઉત્તર : બોધરૂપ વ્યાપાર ચેતનારાક્તિનું કાર્ય છે. ચેતનાશક્તિ બોધરૂપ વ્યાપારનું કારણ છે! જડમાં ચેતનાશક્તિ નથી માટે તેમાં બોધરૂપ વ્યાપાર થતો નથી.
પ્રશ્ન : આત્મામાં તો અનંત ગુણો છે, તો ‘ઉપયોગ’ ને જ લક્ષણ કેમ કહ્યું? ઉત્તર : સાચી વાત છે, આત્મામાં ગુણો તો અનંત છે, પરંતુ બધા ગુણોમાં ઉપયોગ જ પ્રધાન છે. કારણ કે ઉપયોગ સ્વપર
પ્રકાશરૂપ ગુણ છે. તેથી
રૂ. ઉપયોગ નક્ષમ્। - તત્ત્વાર્થ/૪૨, સૂત્ર-૮
For Private And Personal Use Only