________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવના પ્રકારો
૩૪૩ સ્ત્રી ઃ સ્ત્રીનાં સાત લક્ષણ છે : યોનિ, મૃદુતા, અમુગ્ધતા, અબલતા, સ્તન અને પુરુષકમિતા,
પુરુષ : પુરુષનાં સાત લક્ષણ છે. પુરુષચિહ્ન, કઠોરતા, દૃઢતા, પરાક્રમ, શ્મશ્ર, ધૃષ્ટતા અને સ્ત્રી-કામુકતા.
નપુંસક : મોહગ્નિની પ્રબળતા, સ્ત્રી-પુરુષનાં લક્ષણ કેટલાંક હોય, કેટલાંક ન હોય. ન હોય પુરુષમાં, ન હોય સ્ત્રીમાં.
ચાર પ્રકારે : સંસારી જીવોને જ્યાં ચાર પ્રકારમાં વિભાજિત કરવામાં આવ્યા છે, ત્યાં ૧. નારક ૨. તિર્યંચ ૩. મનુષ્ય અને ૪. દેવ, આ ચાર પ્રકાર બતાવાયા છે. નરક
નામ
ગોત્ર પહેલી
ધમાં
રત્નપ્રભા બીજી
વંસા
શર્કરામભા ત્રીજી
વાલુકાપ્રભા ચોથી
અંજન
પપ્રભા પાંચમી રિષ્ટા
ધૂમપ્રભા છઠ્ઠી
મધા
તમ:પ્રભા સાતમી
માધવતી
તમતમ પ્રભા પ્રશ્ન : નામ અને ગોત્રમાં શું અંતર છે?
ઉત્તર : નામ અનાદિકાલ-સિદ્ધ છે અને અર્થરહિત છે. ગોત્ર અર્થસહિત છે. જેમ-પહેલી નરકનું નામ “ધર્મા' છે. જેનાં કોઈ નરક સાથે સંબંધ ધરાવતો અર્થ નથી, પરંતુ અનાદિકાળથી આ જ નામ છે અને અનન્તકાલપર્યત એ નામ રહેશે! ગોત્રનું નામ “રત્નપ્રભા છે. અહીં ‘પ્રભા'નો અર્થ “બહુલતા’ કરવામાં આવ્યું છે. અર્થાત્ પહેલી નરક રત્નબહુલા છે. ત્યાં રત્નો ઘણાં છે. એવી રીતે શર્કરપ્રભા એટલે જ્યાં શર્કરાની બહુલતા છે.
સેલા
२९. तत्थ जे ते एवमाहंसु चउविहा संसार समावण्णगा जीवा पण्णत्ता ते एवमाहंसु, तं
जहा-नेरइया तिरिक्खजोणिया मणुस्सा देवा । - जीवाजीवाभिगमे/ सूत्र-६५ ।। ३०. तत्र नामगोत्रयोरयं विशेषः-अनादिकालसिद्धमन्वर्थरहितं नाम, सान्वर्थ तु गोत्रम्
- जीवाजीवाभिगम-टीकायाम्
For Private And Personal Use Only