________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવના પ્રકારો
૩૪૧
કે મુક્ત જીવોને ‘આયુષ્ય કર્મ' નથી હોતું અને બળ, ઇન્દ્રિય આદિ દ્રવ્ય પ્રાણો પણ નથી હાંતા મુક્ત. જીવોનું અસ્તિત્વ એમના ભાવપ્રાણ-જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગથી હોય છે, અર્થાત્ એમની ચેતના એમનું અસ્તિત્વ છે. ‘ચેતનાનક્ષો ઝીવઃ‘ આ પરિભાષા મુક્ત જીવોમાં ઘટે છે.
મુક્તાત્માઓનું સુખ કેવું હોય, એમનો આનન્દ કેવો હોય...વગેરે અગોચર વાતો તો એવા યોગી પુરુષો જાણી શકે છે કે જેઓના કાર્યો ઉપશાન્ત થયા હોય, જેઓને આત્મપરિણતિરૂપ આત્મજ્ઞાન થયું હોય. જેઓ દીર્ઘકાળપર્યંત પરમતત્ત્વોનાં ધ્યાનમાં લીન રહેતા હોય.
સંસારી જીવોના અનેક પ્રકારો છે. સંસારની ચાર ગતિમાં પરિભ્રમણ કરી રહેલા જીવોના બે-ત્રણ-ચાર-પાંચ અને છ પ્રકારો, અને એના અવાન્તર અનેક પ્રકારો ગ્રન્થકાર સ્વયં હવેની કારિકાઓમાં બતાવે છે અને એનાં લક્ષણ પણ બતાવે છે.
જીવના પ્રકાશે
द्विविधाश्चराचराख्यास्त्रिविधाः स्त्रीपुंनपुंसका ज्ञेयाः । नारकतिर्यग्मानुषदेवाश्चतुर्विधाः प्रोक्ताः ||१९१ ।।
पञ्चविधास्त्येकद्वित्रिचतुः पञ्चेन्द्रियाश्च निर्दिष्टाः । क्षित्यम्युनिपवनतरवस्त्रसाश्च षड्भेदाः || १९२ ।।
અર્થ : `સંસારી જીવો ચર [ત્રસ] અને અચર }સ્થાવર] નામે બે પ્રકારના છે. સ્ત્રી, પુરૂષ અને નપુંસક-ત્રણ પ્રકારના જાણવા, નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ-ચાર પ્રકારે કહેવાયા છે.
એકન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય અને પંચેન્દ્રિય-આ પાંચ પ્રકારના જીવો કહેવાયા છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, અને ત્રસ-આ છ ભેદ બતાવાયા છે.
વિવેપન : સંસરણ-પરિભ્રમણ એટલે સંસાર! સંસારી એટલે ચાર ગતિમાં પરિભ્રમણ ફરનારો!
બે પ્રકારે : સંસારી જીવોના મુખ્ય બે ભેદ બતાવવામાં આવ્યા છે : ચર અને અચર, ચર જીવોને ‘ત્રસ’ કહેવાય છે, અચર જીવોને ‘સ્થાવર' કહેવાય છે, २४. संसरणं भ्रमणं संसारः स एवास्त्येषामिति संसारिणः । जीवविचार-टीकायाम्
-
For Private And Personal Use Only