________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
પ્રશમરતિ વાહ્યવૃષ્ટ: મુદામારવટિતા મતિ કુત્તરી
तत्त्वदृष्टेस्तु सा साक्षाद् विण्मूत्रपिठरोदरी।।' ગ્રન્થકાર દેહદર્શન કરવાની આ દષ્ટિ પ્રતિક્ષણ ખુલ્લી રાખવાનું કહે છે. ગ્રન્થકાર દેહના એક-એક અંગ-ઉપાંગ તરફ આ દૃષ્ટિથી જ જોવાનો ઉપદેશ આપે છે. દેહનો ફોઈ એક ખૂણો પણ શુદ્ધ નથી, પવિત્ર નથી. શરીરના કોઈપણ અંગ-ઉપાંગમાંથી પવિત્રતાનો પરિમલ મળતો નથી.
આવા શરીર પ્રત્યે વિરાગી અને અનાસક્ત બનીને, એ શરીરનો ઉપયોગ આત્મશુદ્ધિની સાધના માટે કરી લઉં. તપશ્ચર્યા કરું, ત્યાગ કરે, ગુરુજનોની સેવા-ભક્તિ કરું. પરમાર્થ અને પરંપકારની પ્રવૃત્તિઓ કરું. ભલે શરીર સુકાય કે કરમાય, ભલે એનું સૌન્દર્ય રહે કે જાય.
શરીર પ્રત્યે વિરાગી બનીને, ઉપસર્ગો અને પરીષસો સહન કરું ધ્યાન કરું અને કાયોત્સર્ગ કર...નિર્મમ અને નીરાગી બનીને શરીરના બંધનને તોડી નાંખું!
સંસાર-ભાવળી माता भूत्या दुहिता भगिनी भार्या च भवति संसारे।
व्रजति सुतः पितृतां भ्रातृतां पुनः शत्रुतां चैव ।।१५६ ।। અર્થ : સંસારમાં (જીવ) માતા બનીને (મરીને) પુત્રી બહેન અને પત્ની બને છે, તથા પુત્ર મરીને) પિતા ભ્રાતા અને શત્રુ બને છે. વિવેચન : સંબંધોનાં બંધની સંબંધોની માયા!
આ જ સંસાર છે ને? આ જ છે ભવભ્રમણનું મૂળ કારણ. જ્યારે “શ્રી સમરાદિત્ય કેવળી ચરિત્ર' ગ્રન્થ વાંચ્યો ત્યારે આ ગ્રન્થકારે બતાવેલી સંસારના સંબંધોની નિસારતા..વાસ્તવિકતા પ્રતીત થઈ.
સંસારની ચાર ગતિમાં અને ચોર્યાસી લાખ યોનિમાં મારા જીવાત્માએ પરિભ્રમણ કર્યું છે અને સંસારના એક-એક સંબંધો અન્ય જીવાત્માઓ સાથે કરેલા છે. એક-એક જીવત્મા સાથે બધાં જ સંબંધો કરેલા છે! એક ભવમાં જેનો હું પિતા બન્યો છું, બીજા ભવમાં એનો પુત્ર પણ બન્યો છું. તે પછીના ભવમાં એનો હું ભાઈ બન્યો છું અને શત્રુ પણ બન્યો છું!
For Private And Personal Use Only