________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ
પડવા દો. પછી એનો દિવ્ય પ્રભાવ જુઓ! રાગ અને દ્વેષનાં કાળકૂટ ઝર અમૃત બની જાય છે, જનમ-જનમની વૈરી વાસનાઓનાં ભૂતડાં ભાગી જાય છે, જીવાત્માઓ સ્વસ્થ, શાન્ત અને પ્રસન્ન બની જાય છે.
આવું થોડુંક કહેવા માટે, ગ્રંથકાર મહાપુરુષ પંચ-પરમેષ્ઠિને પ્રણિપાત કરે છે. તીર્થકર ભગવંતોને જ નહીં; સામાન્ય કેવળજ્ઞાની ભગવંતોને પણ વંદના કરે છે. સર્વકર્મોથી મુક્ત.... સર્વપ્રયોજનસિદ્ધ, સ્વાધીન સુખસાગરમાં નિમગ્ન... લોકાંતે સિદ્ધશિલા પર અનંતકાળ માટે અવસ્થિત સિદ્ધ ભગવંતોને નમન કરે છે. જિનશાસનના સર્વ જીવ હિતકારી તત્ત્વોનું પ્રતિપાદન કરવામાં નિપુણ અને પંચાચારના પાલન તથા પ્રસારમાં કટિબદ્ધ એવા આચાર્યદેવને પ્રણામ કરે છે. સર્વદોષોથી રહિત દ્વાદશાંગીનાં સૂત્રોનું, કરુણાપૂર્ણ હૃદયથી જરાય થાક્યા વિના દાન આપનારા ઉપાધ્યાય ભગવંતોને નમન કરે છે. સમ્યગ જ્ઞાનદર્શન અને ચારિત્રના માધ્યમથી મોક્ષમાર્ગની સાધના કરનારા સાધુપુરુષોને ભાવપૂર્ણ અંત:કરણથી વંદના કરે છે.
સર્વ ક્ષેત્રોમાં રહેલા સર્વે જિનોને, સર્વે સિદ્ધોને, સર્વે આચાર્યોન, સર્વે ઉપાધ્યાયોને અને સર્વે સાધુઓને ભાવવંદના કરીને ગ્રન્થકારે પ્રકૃષ્ટ મંગલ કર્યું. ભાવમંગલની અપૂર્વ શક્તિ, અપૂર્વ સામર્થ્ય જાણનારા અને અનુભવનારા મહર્ષિ શ્રી ઉમાસ્વાતિ, પંચપરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરે છે... નમસ્કાર દ્વારા તેઓ શક્તિ અને સામર્થ્ય પ્રાપ્ત કરે છે... અદૂભૂત આંતર ઉત્સાહ પ્રાપ્ત કરીને અપૂર્વ એવા એક ગ્રંથની રચના કરવાનો પ્રારંભ કરે છે.
‘જિનશાસનમાંથી કંઈક કહીશ,” આ તેઓની પ્રતિજ્ઞા છે, માટે તેઓ જિનશાસનનો પરિચય કરાવે છે–
સર્વજ્ઞશાસન यद्यप्यनन्तगमपर्ययार्थहेतुनयशब्दरत्नाढ्यम् ।
सर्वज्ञशासनपुरं प्रवेष्टुमबहुश्रुतैर्दुःखम् ।।३।। અર્થ : અનન્ત ગમ (અર્થમાર્ગ), પર્યાય (દ્રવ્યની અવસ્થા), અર્થ (પદના અર્થ), હતું (કારણ), નયનંગમ-સંગ્રહાદિ), શબ્દ (શબ્દપ્રાભૂતમાં પ્રતિપાદિત), આ રત્નોથી વૈભવવાળા ગહન સર્વજ્ઞશાસનમાં અબહુશ્રુત જીવોને પ્રવેશવું જો કે અશક્ય જ છે. વિવેવન : જિનશાસન એટલે સર્વજ્ઞશાસન. સર્વજ્ઞશાસન એટલે એક સમૃદ્ધનગર! વૈભવશાળી નગર! એનો વૈભવ કોઈ
For Private And Personal Use Only