________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાભ મદ
૧૫૩
‘લાભાન્તરાય કર્મ’ અને ‘દાનાન્તરાય કર્મ’ નિર્ણાયક બનતું હોય છે.
કહો, આ તત્ત્વજ્ઞાન પામ્યા પછી અપ્રાપ્તિમાં દીનતા થાય ખરી? પ્રાપ્તિમાં અભિમાન થાય ખરું? સાચો કાર્યકા૨ણ ભાવ જાણ્યા પછી હર્ષ-શાંકના દ્વન્દ્વ શમી જાય છે, રતિ-અતિના ઉછાળા શમી જાય છે, ખિન્નતા અને ઉન્મત્તતા દૂર થઈ જાય છે.
[તમને જે જોઈએ છે તે મળી જાય છે, તો તમે સમજો કે તમારા લાભાન્તરાય કર્મનો ક્ષયાપશમ છે અને જેના પાસેથી મળે છે તેનો દાનાન્તરાય કર્મનો ક્ષોપશમ છે. પરંતુ એ ન ભૂલશો કે તમારો લાભાન્તરાય કર્મનો ક્ષર્યોપશમ કાયમ નહીં રહે! આ ક્ષોપશમ અનિશ્ચિત હોય છે. જો તમે પ્રાપ્તિવેળાએ અભિમાન કર્યું તો જ્યારે પ્રાપ્તિ નહીં થાય ત્યારે કલ્પાંત થશે!
કોઈની શક્તિથી, કોઈની મહેરબાનીથી મળતા-ભોગ-ઉપભોગના પદાર્થો ઉપર ગર્વ કરાય ખરા? જો તમે તત્ત્વજ્ઞાની છો, સમજદાર છો, તોં તો ગર્વ કરવાનો ત્યજી દો. ક્યારેક ભોગ-ઉપભોગના પદાર્થો ન મળ્યા, ભલે ન મળ્યા, તમે બેચેન ન બનો, વિહ્વળ ન બનો, દન ન કરો.
ક્યારેક એવું પણ બને કે તમારો લાભાન્તરાય કર્મનાં ક્ષયોપશમ હોય, દાતાનો દાનાન્તરાય કર્મનો ક્ષયોપશમ હોય; છતાં જો દાતાનું ચિત્ત પ્રસન્ન ન હોય તો પણ તમને પ્રિય પદાર્થોની પ્રાપ્તિ ન થાય. દાતાની મહેરબાની ઉપર પ્રાપ્તિનો આધાર રહે . જો તમે સાધુ છો, શ્રમણ છો, મોક્ષમાર્ગના આરાધક છો તો તમો તમારે અપ્રાપ્તિમાં છંદ ન કરવો જોઇએ. તમારે તો વિચારવાનું કે ‘ચાલો, સારું થયું..... જોઈતી વસ્તુ ન મળી તો ‘ઇચ્છાનિગ્રહ’ રૂપ તપશ્ચર્યા થઈ. મારે તો ઇચ્છાઓથી મુક્ત થવાનું છે, ઇચ્છાઓને પૂર્ણ કરવાનું મારું જીવન નથી.' જો આવું તત્ત્વચિંતન કરશો તો તમારું મન સ્વસ્થ રહેશે અને સાધકજીવનનો આનંદ અનુભવશો. તમને ખેદ, ગ્લાનિ કે સંતાપ નહીં થાય.
એવી રીતે, તમારા લાભાન્તરાય કર્મના ક્ષોપશમથી, દાતાના દાનાન્તરાય કર્મના ક્ષોપશમથી અને એના ચિત્તની પ્રસન્નતાથી તમને જોઈતું મળી ગયું, તો એનો ગર્વ ન કરશો કારણ કે આ ત્રણેય વાતોનો સુમેળ કાયમ રહેતો નથી. જ્યારે આ ત્રણ વાતોનો સુમેળ ન રહ્યો અને તમને જોઈતી વસ્તુ નહીં મળે, ત્યારે તમને દુઃખ થશે, દાતાઓ ઉપર રોષ થશે.
ઇચ્છિત પદાર્થોની પ્રાપ્તિમાં મદ નહીં અને ઇચ્છિત પદાર્થોની અપ્રાપ્તિમાં ખેદ નહીં, આવું સમતાસભર મન મોક્ષમાર્ગની આરાધનામાં ઉપયોગી બને છે.
For Private And Personal Use Only