________________
સૌમ્યતાની સરવાણી
કોઈ ગુસ્સો કરે એટલે આપણે સામો ગુસ્સો કરવો જ જોઈએ તેમ માનીને જિંદગી બગાડવાની નથી. ગુસ્સો કરનારની સામે હસતા મુખે જોવાથી પણ કામ થઈ શકે છે. ગુસ્સો બડી છેતરામણી ચીજ છે. માનસિક અશાંતિ વિના ગુસ્સો બહાર આવે જ નહીં. બહાર આવેલો ગુસ્સો નવી અશાંતિને લાવે જ. અનિવાર્ય ગુણ છે, દરેક વાતોને આવેશ વગર સાંભળવી, આપણી વાતને આવેશ વિના રજૂ કરવી. કામ કરવા માટે કે વિરોધ કરવા માટે માત્ર મુદ્દાની જરૂર હોય છે, ગુસ્સાની નહીં. ગુસ્સાને લીધે મુદ્દાનું બાષ્પીભવન થઈ જાય છે. તમારી પાસે તાકાત હશે તો ગુસ્સા વગર પણ કામ થવાનું જ છે. તાકાત નહીં હોય તો ગુસ્સાનો ધુમાડો તમને જ બદનામ કરવાનો.
હતાશાને લીધે ગુસ્સો આવ્યો હોય તો, નવી તકનો વિચાર કરવો જોઈએ. જે ગુમાવ્યું છે તેને પાછું લાવવાની શક્તિ ગુસ્સામાં નથી. જરા વિચારો, તમે ગુસ્સો કર્યો તેનાથી સામા માણસને તમે નારાજ કર્યા. નારાજગી સાથે એણે તમારી સાથેનો વહેવાર સાચવી લીધો પણ મનમાં તો એશાંતિ રહી જ. એ ગમે ત્યારે બહાર આવશે જ. તમે જેની પર ગુસ્સો કરો છો તે બદલો લેવાનો જ છે. એ સહન કરવાની તમારી તૈયારી છે ? એવી તૈયારી ન હોય તો ગુસ્સાને ઉગતો જ ડામવા માંડો. | ગુસ્સો સહન કરવાની તૈયારી હોય તોય તે તૈયારી સારી નથી. તમે શું કરશો કે વળતી લડત આપશો. વિષવર્તુળમાં બન્ને જણા અટવાશો. તડાફડીની ટેબલટેનિસ વરસો સુધી ચાલશે. મેડલ કોઈને નહીં મળે. મોકાણ ગાજ્યા કરશે. એક સરસ કવિતા વાંચી હતી : ગુસ્સો કરું છું ત્યારે વિચારો બંધ થઈ જાય છે. વિચારો બંધ થઈ જાય છે ત્યારે ગુસ્સો આવે છે.
નકરો આવેશ ધીખતો હોય છે ગુસ્સામાં, બીજાને તો ઠીક, તમને પોતાને ભારે નુકશાની વેઠવી પડે છે. તમે ન બોલવાના શબ્દો બોલી બેસો છો, એ શબ્દોને યાદ રાખવામાં આવે છે અને તમારી છાપ એ શબ્દોમાં કેદ થઈ જાય છે. ગુસ્સાને છોડવો મુશ્કેલ છે છતાં પદ્ધતિસર મહેનત કરીએ તો કામ અઘરું નથી.
તમારા મનનો ગુસ્સો સૌથી પહેલી સમસ્યા છે. એ બહાર આવે છે તે બીજી સમસ્યા છે. તે ગમે તે રીતે વ્યક્ત થાય છે એ ત્રીજી સમસ્યા છે. સ્વભાવનો અભ્યાસ કરવા માટે આ ત્રણેય સમસ્યાને અલગ પાડી દો. પહેલી સમસ્યા સૌથી વધુ જોખમી છે. સાથો સાથ સૌથી વધુ મુશ્કેલ. એને માત્ર યાદ રાખીએ હમણાં.
બીજી સમસ્યા છે તેની પર ધ્યાન આપો. ગુસ્સો આવે ત્યારે બોલી જ નાંખવાની ટેવ પડી ગઈ છે. ગુસ્સાને બહાર આવવાનો રસ્તો મળે તો એ દશગણો થઈ જાય છે. ગુસ્સાને અંદરઅંદર ઉકળવા દો. એને બહાર આવવાની ના પાડી દો. તમારા ગુસ્સા પર તમારો અધિકાર જમાવો. ગુસ્સો આવ્યો છે એ સમજાય તે જ ક્ષણે બોલવાનું બંધ કરી દો. શરૂશરૂમાં સામા પક્ષની ગાળ સાંભળવાનું આકરું લાગશે, ગુસ્સો રોકવો ભારે પડશે. ભલે. ગુસ્સાને ઓછો કરવાનો આ એક માત્ર રસ્તો છે. ગુસ્સાને મોકો જ ન આપો. બે ત્રણ પ્રસંગો આવી રીતે પસાર થઈ જશે તે પછી ગુસ્સાનું દબાણ ઘટવા માંડશે. ગુસ્સો ઉતરી જાય તે પછી એકદમ શાંતિથી તમારી વાત સ્પષ્ટ કરવાનું શીખી લો. થશે એવું કે ગુસ્સો ઉતરી ગયા પછી તમને સમજાશે કે મારે આ વાત કરવાની જરૂર જ નથી. તમે તમારી જાત પર હસશો. સામા માણસની ભૂલ અને ચાલાકી એની પાસે જ રહેવા દો. આપણું લક્ષ છે ગુસ્સો ટાળવાનું. ગુસ્સો તો આવે જ છે. ગુસ્સાની અભિવ્યક્તિને રોકી દો. આ દમન નથી, આ દવા છે. ગુસ્સાને બહાર જવા નહીં મળે તો એ ઠરી જશે.
ત્રીજી સમસ્યા છે, ગમે તે રીતે ગુસ્સો બહાર આવી જાય છે. આ સમસ્યા ઘર ઘરની છે. પહેલા બગાડવાનું અને પછી પસ્તાવો કરીને માફી માંગવાની. આવી આદતને લીધે જ ત્રીજી સમસ્યા નડે છે. માંદા પડીને પછી દવા લેવી તે મૂર્ખામીનો ધંધો છે. ખાવાપીવામાં સાચવીને રહીએ તો માંદા જ ન પડીએ આ બુદ્ધિમત્તા છે. બોલીને બગાડવામાં ફાયદો કોઈ નથી, નુકશાનીનો પાર નથી. જેની પર ગુસ્સો આવે છે તે નજીકની વ્યક્તિ હોય તો તેણે તમારી માટે શું શું વેક્યું છે તે યાદ કરો. તેણે તમને કેટલી બધી વાર સાચવી લીધા છે તે વિચારો. ઘણીવાર તેમણે તમને માફ કરી દીધા છે. તમે એને એકવાર માફ કરી દો. આ વખતે તો ના જ બોલો. ઝૂકી જાઓ. વરસો સુધરી જશે. અજાણી વ્યક્તિ હોય તો એની પર ગુસ્સો કરાય જ નહીં, એમ કરવું એ તો ચોપગા કૂતરાની ખાસિયત છે. અજાણ્યાને નડે તે માણસ ન કહેવાય. તમે તો ખાનદાન પરિવારના મહાનું માણસ છો. જવા દો એ અજાણ્યા આદમીને. રસ્તે ચાલતા અજનબીને પરેશાન કરવાથી કશું મળતું નથી.
તમે ગુસ્સો ન કરો તે શ્રેષ્ઠ આદર્શ છે. પ્રથમ સમસ્યાના ઉકેલ વિના આ શકય
–
જે ૧૩
૧૪ છે.