________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
પાંપણે બાંધ્યું પાણિયારું - પિતાજીએ શ્રી ભદ્રાચાર્યજીના પાવન ચરણોમાં ચારિત્રધર્મ સ્વીકારી જીવન ધન્ય બનાવ્યું. સમગ્ર રાજ્યમાં જિનેશ્વર ભગવંતની ભક્તિનો ભવ્ય મહોત્સવ ઊજવાયો.
થોડા મહિનાઓમાં,... થોડા દિવસોમાં નહીં ધારેલી ઘટનાઓ બની ગઈ. ઋષિદના કલંકિત બની... હું રુક્મિણી સાથે લગ્ન કરવા કાવેરી ગયો..... ઋષિદત્તાનું પુનઃ મિલન થયું.... મારો રાજ્યાભિષેક... અને પિતાજીનું ચારિત્રપંથે પ્રયાણ. આ બધું અણધાર્યું બની ગયું હતું.
મંત્રીમંડળના સહયોગથી મેં રાજ્યતંત્ર વ્યવસ્થિત સંભાળી લીધું. મહાજન અને પ્રજાજનોનો મારા પ્રત્યે અપાર સ્નેહ હતો. મેં પણ પ્રજાના સુખ-દુઃખને જાણવાનો અને પ્રજાની તકલીફો દૂર કરવાનો અભિગમ ચાલુ રાખ્યો હતો.
ઋષિદત્તા અને રુક્મિણી સાથે મારી સંસારયાત્રા આનંદપૂર્વક ચાલી રહી હતી. માતા જ્યાં સુધી જીવંત રહી ત્યાં સુધી મેં અને બંને રાણીઓએ પર્યાપ્ત સેવા કરી. પિતાજીના સંસાર-ત્યાગ પછી માતાએ થોડાંક જ વર્ષો પસાર કર્યા. તેના મૃત્યુથી મારા જીવનમાં એક મોટો અભાવ પેદા થઈ ગયો.
એક દિવસ ત્રષિદત્તાએ પ્રભાત સમયે મને કહ્યું : “પ્રાણનાથ, આજે રાત્રે મેં એક સુંદર સ્વપ્ન જોયું! એક રથ જોયો... એ રથને બે સુંદર સિંહ જોડેલા હતા!'
તું એક સિંહ જેવા પુત્રને જન્મ આપીશ... આપણે એ પુત્રનું નામ સિંહરથ પાડીશું!”
ઋષિદત્તા ખૂબ પ્રસન્નચિત્ત બની ગઈ. એ ગર્ભવતી હતી. એનું રૂપલાવણ્ય ખીલી ઊઠ્યું હતું. એના મનમાં સારી સારી અભિલાષાઓ ઉત્પન્ન થતી હતી. એ અભિલાષાઓ હું પૂર્ણ કરતો હતો. ક્મિણી પણ પળેપળે ઋષિદત્તાની કાળજી રાખતી હતી.
સમય પૂર્ણ થતાં ઋષિદત્તાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. સમગ્ર રાજ્યમાં ઘેર ઘેર ઉત્સવો મંડાયા. રાજમહેલ અસંખ્ય ફૂલમાળાઓથી અને દીપકોથી શણગારાયો. આખુંય રથમર્દન નગર શણગારવામાં આવ્યું. આમેય પ્રજાજનોને ઋષિદત્તા તરફ અત્યંત આદર હતો, ભક્તિ હતી, તેમાં પુત્રજન્મ થયો! ઋષિદત્તા માતા બની! પ્રજાજનોનો હર્ષ હિલોળે ચડ્યો.
પુત્રજન્મના સમાચાર કાવેરી પહોંચતાં મહારાજા સુરસુંદર અને મહારાણી વાસુલા તુર્ત જ રથમર્દન નગરે આવી પહોંચ્યાં, કારણ કે તેઓ ઋષિદત્તાને
For Private And Personal Use Only