SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૩૯ ક્યાંય નથી આ ચિંતન! અનેક રીતે આ ચિંતનને વિચારી શકાય. અહીં આપણે એના કાર્યક્ષેત્રનું આપેક્ષિક ચિંતન કરીએ. વ્યવહારનયનું પ્રાધાન્ય “સ્વ” માટે બની રહેવું જોઈએ; નિશ્ચયનયનું પ્રાધાન્ય પર” માટે બની રહેવું જોઈએ. દા.ત. આપણે પોતે આંતરિક રીતે ગમે તેટલા સારા હોઈએ પણ તેથી સંતોષ માનવો નહિ. આપણે બહારથી પણ એટલા જ સારા વ્યવહારની કટ્ટરતા રાખવી જોઈએ. આપણો બાહ્ય વ્યવહાર ખૂબ ઊંચી કક્ષાનો-શાસ્ત્રીય-બની રહે તેવી અપેક્ષા સદા જીવતી રાખશું તો આપણા એ સુંદર બાહ્યાચારથી અનેક આત્માઓ ધર્મસન્મુખ બની જશે. પણ બીજાઓ માટે તો આપણે નિશ્ચયનય જ લગાડવો. કોઈ શિષ્ય; ભક્ત કે ધર્મજન ગમે તેટલો શિથિલ હોય તોય આપણે તે શૈથિલ્યદર્શનથી સમાધિ ન ખોઈ બેસીએ તે માટે આ જ વાત વિચારવી કે, “બહારથી ભલે તે પર્વતિથિએ પણ તપ વગેરે નહિ કરતો દેખાય પરંતુ આંતરિક રીતે તે ખૂબ જ અનાસક્ત કે દુઃખિત કેમ ન હોય? માટે મારે કોઈ પણ ઉતાવળો નિર્ણય બાંધવો નથી.' કેવું સુંદર વિભાગીકરણ... સબૂર આ બેય નયના સ્થાન ઉલટાવશો મા! નહિ તો હાથમાં સદ્ગતિને બદલે દુર્ગતિ. ઓ સોનગઢી સ્વામીજી! જડની તો તમે પ્રચંડ અસર માનો છો! સોનગઢના આશ્રમવાળાઓ રાડો પાડી પાડીને લોકોને કહે છે, “આત્મા ત્રણે ય કાળમાં સત્, ચિત્ અને આનંદ સ્વરૂપ જ છે. જેવો આત્મા સિદ્ધભગવાનનો છે તેવો જ અત્યારે આપણો છે. એમની ઉપર જેમ જડની અસર થતી નથી તેમ આપણા આત્મા ઉપર પણ જડની લેશ પણ અસર થઈ શકતી નથી. કર્મ વગેરે બધા જડ છે એ આત્માને કદી બાંધી શકે જ નહિ.' આવી ઘણી વાતો તે લોકો કરે છે. મારે તો તેમને ત્રણ જ વાત પૂછવી છે. (૧) શરીર ઉપર વસ્ત્ર કે એક નાનકડી ચીંદરડી પડી હોય તો તમારા મતે તે આત્માને સ્વરૂપનું પ્રગટીકરણ થાય ખરું?
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy