________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ
૩૯
જ્યાં સુધી શ્રીમંત ન બનાય, ત્યાં સુધી શ્રીમંતની સેવા ન છોડાય, જ્યાં સુધી નીરોગી ન બનાય, ત્યાં સુધી વૈદ્ય-ડોક્ટરને ન ત્યજાય, તેવી રીતે જ્યાં સુધી આપણને સંશય-વિપર્યાસરહિત જ્ઞાનપ્રકાશ ન લાધે, શુદ્ધ આત્મસ્વરૂપની ઝાંખી પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી જ્ઞાનીસંયમી સદૂગુરુનો ત્યાગ ન કરાય. અર્થાત્ જ્યાં સુધી ગુરુદેવની ગુરુતાનો આપણામાં વિનિયોગ ન થાય, ત્યાં સુધી સતત વિધિ-આદરપૂર્વક તેઓશ્રીનાં પાવન ચરણોમાં ભ્રમર બન્યા રહેવાનું.
ગુરુદેવની પરમ કૃપાથી જ આપણા આત્મામાં જ્ઞાન-ગુરુતા આવી શકે. તે જ્ઞાન-ગુરુતાનો ઉદય ત્યારે થાય કે જ્યારે ગુરુ-મહારાજ પાસેથી ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષા વિનયપૂર્વક ગ્રહણ કરવામાં આવે અને તેને સમ્યગુ રીતે પરિણાવવામાં આવે.
પાંચ મહાવ્રતોનું સૂક્ષ્મ સ્વરૂપ સમજવું. ક્ષમા, આર્જવ, માર્દવ વગેરે દસ યતિધર્મોની વ્યાપકતા સમજવી. પૃથ્વીકાયાદિ પકાયના જીવોનું સ્વરૂપ સમજવું... આ બધું ગ્રહણશિક્ષામાં આવે. સદૂગુરુની કૃપાથી આ ગ્રહણશિક્ષા પ્રાપ્ત થાય છે. ગ્રહણશિક્ષા લઈને પછી તે મુજબ જીવનમાં તેનું પાલન કરવું, તેનું નામ આસેવન શિક્ષા.... ગુરુના અનુગ્રહ સિવાય આસેવન શિક્ષા ઝીલી શકાતી નથી. તે ઝીલ્યા સિવાય જ્ઞાનગુરુતા પ્રાપ્ત થતી નથી... જ્ઞાન-ગુરુતા વિના નહિ કેવળજ્ઞાન કે નહિ મોક્ષ!
માટે ચિત્તમાં સદ્દગુરુની સામે દઢ સંકલ્પ કરો :
હે ગુરુદેવ! આપની કૃપાથી જ મારામાં ગુસ્તા આવશે. જ્યાં સુધી ગુરુતા ન આવે ત્યાં સુધી સુત્રોક્ત વિધિથી અને ભક્તિભાવથી હું આપની સેવા-ઉપાસના કરીશ.'
ज्ञानाचारादयोऽपीष्टाः शुद्धस्वस्वपदावधि । निर्विकल्पे पुनस्त्यागे न विकल्पो न वा क्रिया ।।६।।२।। અર્થ : જ્ઞાનાચાર વગેરે આચારો પણ શુદ્ધ એવા પોતપોતાના પદની મર્યાદા સુધી ઈષ્ટ છે, પણ વિકલ્પરહિત ત્યાગની અવસ્થામાં વિકલ્પ નથી અને ક્રિયા પણ નથી.
વિવેચન : શુદ્ધ સંકલ્પપૂર્વક કરેલી ક્રિયા યથાર્થ ફળદાયી બને છે. સદ્ગુરુ પાસેથી ‘ગ્રહણ” અને “આસેવન' શિક્ષા લેતાં જ્ઞાનાચારાદિ આચારોનું પાલન મુખ્યતયા કરવાનું હોય છે. તે પાલન શુદ્ધ સંકલ્પપૂર્વક કરવાનું હોય છે.
જ્ઞાનાચારની આરાધના ત્યાં સુધી કરવાની છે, જ્યાં સુધી જ્ઞાનાચારનું
For Private And Personal Use Only