________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇિન્દ્રિયજથી
આ એક ભયસ્થાન છે!
જ્યાં અ-મોહનો ભાવ ધીમો પડે છે. શમના સરોવરમાંથી જીવ જ્યાં થોડા સમય માટે બહાર નીકળે છે, ત્યાં ઇન્દ્રિયો એના. પ્રિય વિષયો તરફ આકર્ષાઈ જાય છે... જીવ પર મોહ અને અજ્ઞાન પોતાની જાળ પાથરવા માંડે છે,
સાવધાન! જ્યાં સુધી તમે શરીરધારી છો, ત્યાં સુધી વિષયોના સંપર્કમાં તમારી ઇન્દ્રિયો આવશે, એ વખતે તમે અમોહી અને જ્ઞાની રહી શકશો? એ વખતે તમે શમની સંપત્તિ જાળવી શકશો?
આ માટે તમે આ અષ્ટકના એક એક શ્લોક પર મનન કરો; તમને ઇન્દ્રિયો પર વિજય મેળવવાનું સ્પષ્ટ માર્ગદર્શન મળશે.
For Private And Personal Use Only