________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૫
નયવિચાર
ધર્મ અને ધર્મને એકાત્તતઃ ભિન્ન માને ત્યારે આ નય મિથ્યાષ્ટિ છે, અર્થાત્ નૈગમાભાસ' છે. નૈયાયિકદર્શન અને વૈશેષિકદર્શન ધર્મી-ધર્મને એકાન્ત ભિન્ન માને છે. સંઘE :
સામાન્યપ્રતિપાવનપર: સંપ્રદાય | આ નય કહે છે : “સામાન્ય જ એક તાત્વિક છે, વિશેષ નહીં.” અશેષ વિશેષનો અપલાપ કરવાપૂર્વક સામાન્યરૂપે જ સમસ્ત વિશ્વને આ નય માને છે.
૧૪૧ એકાત્તતઃ સત્તા-અદ્વૈતને સ્વીકારી, સકલ વિશેષનું નિરસન કરનાર સંગ્રહાભાસ છે, એમ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે. સર્વે અદ્વૈતવાદી દર્શનો અને સાંખ્યદર્શન સત્તા-અદ્વૈતને જ માને છે. વ્યવER : विशेषप्रतिपादनपरो व्यवहारनयः ।
- ભાવાર્યશ્રી મનયરિઃ સામાન્યનો નિરાસ કરવાપૂર્વક વિશેષને જ આ નય માને છે. સામાન્ય અર્થક્રિયાના સામર્થ્યથી રહિત હોવાથી સકલ લોકવ્યવહારના માર્ગે આવી શકતું નથી. વ્યવહારનય કહે છે : “વવાથઝિયાવર તવેવ પરમાર્થ' તે જ પરમાર્થદષ્ટિએ સત્ છે, કે જે અર્થક્રિયાકારી છે. સામાન્ય અર્થક્રિયાકારી નથી માટે તે સત્ નથી.
આ નય લોકવ્યવહારને અનુસરે છે. જે લોક માને તે આ નય માને. જેમ લોકો ભ્રમરને કાળો કહે છે. વાસ્તવમાં ભ્રમર પાંચ વર્ણવાળો હોય છે, છતાં કૃષ્ણ વર્ણ સ્પષ્ટ રીતે ઉપલબ્ધ થાય છે તેથી લોકો ભ્રમરને કાળો કહે છે. વ્યવહારનય પણ ભ્રમરને કાળો કહે છે!
સ્કૂલ લોકવ્યવહારનું અનુસરણ કરનાર આ નય દ્રવ્ય-પર્યાયના વિભાગને અપારમાર્થિક માને છે ત્યારે તે વ્યવહારભાસ કહેવાય છે. ચાર્વાકદર્શન આ વ્યવહારાભાસમાંથી જન્મેલું છે.
१४०. सत्ताऽद्वैतं स्वीकुर्वाणः सकल विशेषान् निराचक्षाणः संग्रहाभासः।
- जैन तर्कभाषा
For Private And Personal Use Only