________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯o
જ્ઞાનસાર પહેલા અને છેલ્લા તીર્થકરે (ઋષભદેવ અને મહાવીરસ્વામીએ) આ વિશે વિશ સ્થાનકોની આરાધના કરી હતી. મધ્યના ૨૨ તીર્થકરોમાં કોઈએ બે, કોઈએ ત્રણ.. કોઈએ બધાં સ્થાનકોની આરાધના કરી હતી.
A (- પ્રવવIRોદ્ધાર', દ્વાર ૧૦ ના અનુસારે) વીસસ્થાનક તપની આરાધનાની પ્રચલિત વિધિ નીચે પ્રમાણે છે : જ એક-એક સ્થાનકની એક-એક ઓળી કરવામાં આવે છે. એક ઓળી
૨૦ અઠ્ઠમની હોય છે. અઠ્ઠમ (૩ ઉપવાસ) કરવાની શક્તિ ન હોય તો ૨૦ છઠ (બે ઉપવાસ) કરીને ઓળી થઈ શકે તે પણ શક્તિ ન હોય તો ૨૦ ઉપવાસ, ર૦ આયંબિલ કે ૨૦ એકાસણાં કરીને પણ ઓળી થઈ શકે છે. આ એક ઓળી છ મહિનામાં પૂર્ણ કરવાની હોય છે. જ ઓળીની આરાધનાના દિવસે પૌષધવ્રત કરવું જોઈએ, બધાં જ પદની
આરાધનામાં પૌષધ ન થઈ શકે. તો પહેલાં સાત પદની સાત ઓળીમાં તો પૌષધદ્રત કરવું જોઈએ. પૌષધની અનુકૂળતા ન હોય તો દેશાવગાસિક વ્રત (૮ સામાયિક અને ૨ પ્રતિક્રમણ) કરે.
ઓળીના દિવસોમાં પ્રતિક્રમણ, દેવવંદન, બ્રહ્મચર્ય-પાલન, ભૂમિશયન વગેરે નિયમો પાળવાના હોય છે. હિંસામય વેપારનો ત્યાગ, અસત્ય અને ચોરીનો ત્યાગ, પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ. ૨૦ સ્થાનકની ૨૦ ઓળી પૂર્ણ થાય એટલે મહોત્સવ કરે, પ્રભાવના કરે, ઉજમણું કરે, આ રીતે મહાન તપની આરાધના પૂર્ણ થયાનો આનંદ
વ્યક્ત કરે. જ જો છ મહિનામાં એક ઓળી પૂર્ણ ન થાય તો ફરીથી એ ઓળી ચાલુ કરવી પડે. દરેક ઓળીના દિવસોમાં જિનેશ્વર ભગવાન સમક્ષ સાથિયા, ખમાસમણ અને કાઉસ્સગ્ન કરવાના હોય છે. દરેક પદની ૨૦ નવકારવાળી ગણવાની હોય છે. કે આ બધી ક્રિયા કરીને તે તે પદના ગુણોનું સ્મરણ-ચિંતન કરી આનંદિત
રહે.
For Private And Personal Use Only