________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૫
પુદ્ગલપરાવર્તકાળ અને એમાં જેટલો કાળ જાય તે કાળવિશેષને બાદર ક્ષેત્ર પગલપરાવર્ત કહેવાય; અર્થાત્ ચૌદ રાજલોકના અસંખ્ય આકાશપ્રદેશો (આકાશના એવા ભાગ કે જેના ભાગ ન થઈ શકે) છે, તે એક એક આકાશપ્રદેશે જીવનું મૃત્યુ થાય અને જે સમય લાગે તે સમયને “બાદર ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત' કહેવાય.
૪. સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત :
જીવની ઓછામાં ઓછી અવગાહના પણ અસંખ્ય પ્રદેશાત્મક છે. છતાં કલ્પના કરો કે જીવનું કોઈ એક આકાશપ્રદેશે મૃત્યુ થયું, ત્યાર બાદ તેની બાજુના જ આકાશપ્રદેશે મૃત્યુ પામે, પછી એની પાસેના જ ત્રીજા આકાશપ્રદેશ મૃત્યુ પામે – આ રીતે ક્રમશઃ એક પછી એક આકાશપ્રદેશને મૃત્યુથી સ્પર્શ અને આ રીતે સમગ્ર લોકાકાશને મૃત્યુઓ દ્વારા સ્પર્શે ત્યારે સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત કહેવાય.
પરંતુ માનો કે જીવ પહેલા આકાશપ્રદેશે મૃત્યુ પામ્યા પછી ત્રીજા કે ચોથા આકાશપ્રદેશે મૃત્યુ પામે તો તેની ગણના ન થાય. એ તો જ્યારે પહેલા પછી બીજા આકાશપ્રદેશે મૃત્યુ પામે ત્યારે જ ગણના આગળ ચાલે.
૫. બાદર કાળ પુલપરાવર્ત : ઉત્સર્પિણી અને અવસર્પિણીના જેટલા સમય (પરમ સૂક્ષ્મ કાળ વિભાગો) છે, તે સમયોને એક જીવ પોતાના મૃત્યુઓ દ્વારા ક્રમથી કે ઉત્ક્રમથી સ્પર્શ ત્યારે બાદર કાળ પુદ્ગલપરાવર્ત કહેવાય.
૩. સૂક્ષ્મ કાળ પુલપરાવર્ત : ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયને એક જીવ પોતાના મૃત્યુ વડે ક્રમથી જ સ્પર્શે ત્યારે સૂક્ષ્મ કાળ પગલપરાવર્ત કહેવાય. જેમકે, અવસર્પિણીના પ્રથમ સમયે કોઈ જીવ મૃત્યુ પામ્યો, ત્યાર પછી અવસર્પિણી ને ઉત્સર્પિણી વીતી ગઈ અને ફરીથી અવસર્પિણીના બીજા સમયે મૃત્યુ પામે ત્યારે એ બીજા સમયને મૃત્યુથી સ્પર્ધો ગણાય.
૭. બાદર ભાવ પુદ્ગલપરાવર્ત :
અસંખ્ય લોકાકાશ-પ્રદેશો જેટલાં અનુભાગબંધના અધ્યવસાય સ્થાનો છે, તે અધ્યવસાય-સ્થાનોને એક જીવ મૃત્યુ દ્વારા ક્રમથી કે ઉત્ક્રમથી સ્પર્શે અને જેટલો કાળ લાગે તે કાળને બાદર ભાવ પુદ્ગલ-પરાવર્ત કહેવાય.
For Private And Personal Use Only