________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુદ્ગલપરાવર્તિકાળ
૪૩ એ પાંચે સમુદાય મળ્યા વિણ કોઈ ન સીઝે કાજ' દા. ત., તંતુઓથી પટ બને એ સ્વભાવ છે. કાળક્રમે એ તંતુઓ વણાય છે. ભવિતવ્યતા હોય તો પટ તૈયાર થાય, નહીંતર વિપ્નો આવે ને કામ અધૂરું રહે. વણનારનો પુરુષાર્થ જોઈએ, અને એને ભોગવનારનાં કર્મ જોઈએ.
આવી જ રીતે જીવના વિકાસમાં પાંચ કારણો કામ કરે છે.
ભવિતવ્યતાના યોગે જીવ નિગોદમાંથી બહાર નીકળે છે. પુણ્ય કર્મના ઉદયથી મનુષ્ય ભવ વગેરે પામે છે. ભવસ્થિતિ (કાળ) પાકતાં એનું વીર્ય (પુરુષાર્થ) ઉલ્લસે છે, અને “ભવ્ય” સ્વભાવ હોય તો તે મોક્ષ પામે છે. શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય સક્ઝાયમાં કહે છે :
નિયતિવશે હળુ કરમી થઈને નિગોદથકી નીકળિયો, પુણ્ય મનુષ્ય ભવાદિ પામી સદ્દગુરુને જઈ મળિયો; ભવસ્થિતિનો પરિપાક થયો તવ પંડિત વીર્ય ઉલ્લસિયો, ભવ્ય સ્વભાવે શિવગતિ પામી શિવપુર જઈને વસિયો, પ્રાણી! સમકિત-મતિ મન આણો. નય એકાંત ન તાણ રે...'
કોઈ એક કારણથી જ કાર્ય થાય છે, એમ માનનારાઓમાં જુદાંજુદાં મત, જુદાંજુદાં દર્શનો પેદા થયાં છે.
૧e
પુગલપરાવર્તકાળ જ્યાં ગણિતનો પ્રવેશ થઈ શકતો નથી, એવા કાળને ઓળખવવા પલ્યોપમ', સાગરોપમ”, “ઉત્સર્પિણી”, “અવસર્પિણી”, “કાળચક્ર', “પુદ્ગલપરાવર્ત'...એવાં શબ્દો યોજાયેલાં છે. આવાં શબ્દોની સ્પષ્ટ પરિભાષા ગ્રંથોમાં આપવામાં આવેલી છે. અહીં આપણે “પ્રવચનસારોદ્વાર' ગ્રંથના આધારે પુદ્ગલપરાવર્ત” કાળને સમજીશું.
૧૦ કોડાકોડી (૧૦ ક્રોડ x ૧૦ ક્રોડી સાગરોપમ = ૧ ઉત્સર્પિણી
૧૦ કોડાકોડી (૧૦ ક્રોડ x ૧૦ ક્રોડી સાગરોપમ = ૧ અવસર્પિણી. ૯૨. ૨૧ મું કર્મવિપાક અષ્ટક, શ્લોક ૭
For Private And Personal Use Only