________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારણવાદ,
૪૬૧ (૨૭ ક્રોડ પદ)
નિદ્રા વગેરે અશુભયોગોનાં અશુભ ફળોનું વર્ણન. ૧૨. પ્રાણયુ
- આ પૂર્વમાં જીવના દસ પ્રાણોનું વર્ણન અને (૧ ક્રોડ, પ૬ લાખ). જીવના આયુષ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. ૧૩. ક્રિયાવિશાલ - આ પૂર્વમાં કાયિકી વગેરે ક્રિયાઓનું તેમના (૯ ક્રોડ પદ)
ભેદ-પ્રભેદ સાથે વર્ણન કરવામાં આવ્યું છે. ૧૪. લોકબિન્દુસાર - જેમ શ્રુતલોકમાં અક્ષરના ઉપર રહેલું બિંદુ
શ્રેષ્ઠ છે તેમ (૧૨ કોડ પદ) - “સર્વાક્ષર સન્નિપાત લબ્ધિ મેળવવા ઈચ્છતા
સાધક માટે આ પૂર્વ સર્વોત્તમ છે. પૂર્વ એટલે શું?
આ પૂર્વ' શબ્દ શાસ્ત્ર...ગ્રંથ જેવા અર્થમાં વપરાયેલો શબ્દ છે. તીર્થંકર જ્યારે ધર્મતીર્થની સ્થાપના કરે છે ત્યારે આ પૂર્વનો ઉપદેશ આપે છે, પછી ગણધરો એ ઉપદેશના આધારે “આચારાંગ' વગેરે સૂત્રોની રચના કરે છે.
૧૮
કારણવાદને
કારણ વિના કાર્ય ન બને. જેટલાં કાર્ય દેખાય છે, તેનાં કારણો હોય જ. જ્ઞાની પુરુષોએ વિશ્વમાં એવાં પાંચ કારણ જોયાં છે કે જે કારણો સંસારના કોઈ પણ કાર્યની પાછળ હોય જ.
૧. કાળ, ૨. સ્વભાવ, ૩. ભવિતવ્યતા, ૪. કર્મ, ૫. પુરુષાર્થ. કોઈ પણ કાર્ય આ પાંચ કારણ વિના થાય નહીં. હવે આપણે એક એક કારણને જોઈએ.
કાળ : વિશ્વમાં એવાં પણ કાર્યો દેખાય છે કે જેમાં કાળ (સમય) જ કામ કરતો દેખાય છે. પરંતુ ત્યાં કાળને મુખ્ય કારણ સમજવું જોઈએ અને બાકીનાં ૪ કારણને ગૌણ કારણ સમજવા જોઈએ.
૧. સ્ત્રી ગર્ભ ધારણ કરે છે તે અમુક જ સમયે જન્મ આપે છે. ૯૧. ૨૧ મું કર્મવિપાક અષ્ટક, શ્લોક ક.
For Private And Personal Use Only