________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૨
શિાનુસાર ૨ વાર્થ :
"ગતિપરિણત જીવ-પુદ્ગલોને ગતિમાં સહકારી કારણ છે, જેવી રીતે સરોવર, સરિતા, સમુદ્રમાં રહેલા મસ્યાદિ જલચર જંતુઓને ચાલવામાં જલ નિમિત્ત કારણ બને છે. જલદ્રવ્ય ગતિમાં સહાયક છે, પરંતુ એનો અર્થ એ નથી કે મલ્યને બળાત્કાર ગતિ કરાવે!
સિદ્ધ ભગવંત ઉદાસીન હોવા છતાં સિદ્ધગુણના અનુરાગમાં પરિણત ભવ્ય જીવોની સિદ્ધિમાં સહકારી કારણ બને છે, તેવી રીતે ધર્માસ્તિકાય પણ સ્વયે ઉદાસીન હોવા છતાં ગતિપરિણત જીવ પુદ્ગલની ગતિમાં સહકારી કારણ બને છે.
જેવી રીતે પાણી સ્વયં ગતિ કર્યા વિના જતા એવાં મસ્યોની ગતિમાં સહકારીકરણ બને છે. તેવી રીતે ધર્માસ્તિકાય સ્વયં ગતિ કર્યા વિના જીવપુદ્ગલોની ગતિમાં સહકારી કારણ બને છે. अधर्मास्तिकाय :
જેવું સ્વરૂપ ધર્માસ્તિકાયનું છે, તેવું જ સ્વરૂપ અધર્માસ્તિકાયનું છે. કાર્યમાં ફરક છે. જીવ-૫ગલોની સ્થિતિમાં અધર્માસ્તિકાય સહાયક છે. જેવી રીતે છાયા પથિકોની સ્થિરતામાં સહાયક થાય છે, અથવા જેવી રીતે પૃથ્વી સ્વયં સ્થિર રહેલી, અશ્વ-મનુષ્યાદિની સ્થિરતામાં બહિરંગ સહકારી કારણ બને છે. જીવ-યુગલોની સ્થિતિનું ઉપાદાન કારણ તો સ્વકીય સ્વરૂપ જ છે. અધર્માસ્તિકાય વ્યવહારથી નિમિત્ત કારણ છે. आकाशास्तिकाय :
” લોકાલોકવ્યાપી અનંત પ્રદેશાત્મક અમૂર્તિ છે. “આકાશાસ્તિકાયથી 95. અતિથ્રિત્યુપદી ઘધર્મપIS= (HWાર્થ, . , . ૧૭)
(૩. તત્ત્વાર્થ-ટીકા, અધ્યાય ૫, ટીકા) उदयं जह मच्छाणं गमणाणुग्गहयरं हवदि लोए।
तह जीवपुग्गलाणं धम्म दब वियाणेहि ।1८५|| - पंचास्तिकाये ७६. जह हवदि धम्मदव्व तह ते जाणेह दव्वमधमक्खं ।
ठिदिकिरियाजुत्ताणं कारणभूदं तु पुढवीव ।।८६ ।। - पंचास्तिकाये ७७. लोकालोकव्याप्यनन्तप्रदेशात्मकोऽमूर्तद्रव्यविशेषः । - अनुयोगद्वार-टीकायाम् ७८. जीवा पुग्गलकाया धम्माधम्मा य लोगदोणण्णा।
ततो अणण्णमण्णं आयासं अंतवदिरित्तं ।।६१ || - पंचास्तिकाये
For Private And Personal Use Only