________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વનયાશ્રય
૩૮૯ धावन्तोऽपि नया: सर्वे स्युर्भावे कृतविश्रमाः।
વરિત્રપનીના િિત સર્વનાશ્રિતઃ IIT/ર૪૬T અર્થ : પોતપોતાના અભિપ્રાયે દોડતા પણ વસ્તુસ્વભાવમાં જેણે સ્થિરતા કરી છે એવા બધાં નયો હોય છે. ચારિત્રગુણમાં આસક્ત થયેલ સાધુ સર્વનયોનો આશ્રય કરનાર હોય છે. વિવેચન : નયવાદ!
વસ્તુ અનંતધર્માત્મક હોય, એમાંના કોઈ એક ધર્મને જ નય માને. બીજા ધર્મોનો સ્વીકાર ન કરે... અપલાપ કરે. માટે નયવાદને મિથ્યાવાદ કહેવામાં આવ્યો છે, યશોવિજયજી એને “નયાભાસ' કહે છે.
નયો સાત છે : નિગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત.
દરેક નયનો પોતપોતાનો અભિપ્રાય છે. એકનો અભિપ્રાય બીજાના અભિપ્રાય સાથે મળે જ નહીં. દરેક નયે દરેક વસ્તુ માટે પોતાનું મંતવ્ય બાંધી જ લીધેલું છે. એ સાતેય એક સાથે મળીને કોઈ એક સર્વસંમત નિર્ણય ન કરી શકે. હા, કોઈ સમષ્ટિચિંતક મહાપુરુષ એ સાતેયનો સમન્વય કરી શકે. એ મહાપુરુષ દરેક નયને તેમની ભૂમિકાએ ન્યાય આપે.
એવા મહાપુરુષ ચારિત્ર ગુણસંપન્ન મહામુનિ હોય છે. તેઓ જ્યારે જ્યારે કોઈ એક નયના મંતવ્યને સ્વીકારે છે ત્યારે ત્યારે બીજા નયોનાં મંતવ્યોને અવગણી નાખતા નથી. તેઓ કહે છે : “તમારા મંતવ્યોને પણ યથા-અવસરે સ્વીકારીશ, અત્યારે આ નયના મંતવ્યનું મારે કામ છે! એટલે અથડામણ થતી નથી, સંઘર્ષ થતો નથી. મહામુનિની ચારિત્ર-સંપત્તિ લૂંટાતી નથી. નહીંતર તો છંછેડાયેલા નયોનું તોફાન ચારિત્ર-સંપત્તિનો નાશ કરી નાખી
पृथग्नया: मिथः पक्षप्रतिपक्षकर्थिताः ।
સમવૃત્તિસુસ્થા જ્ઞાની સર્વનાશ્વત: પાર કરવા અર્થ : જુદાજુદા નયો પરસ્પર વાદ-પ્રતિવાદથી વિડંબિત છે. સમભાવના સુખનો અનુભવ કરનારા મહામુનિ (જ્ઞાન) સર્વ નવોને આશ્રિત હોય છે. વિવેચન : કલિકાલસર્વજ્ઞ પરમાત્માની સ્તુતિ કરતાં કહ્યું છે :
પરસ્પર પક્ષ અને પ્રતિપક્ષ ભાવથી અન્ય પ્રવાદો દ્વેષથી ભરેલાં છે. * જુઓ પરિશિષ્ટ ૩૧.
For Private And Personal Use Only