________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન
૧૩૧
मन्यते यो जगत् तत्त्वं स मुनिः परिकीर्तितः ।
सम्यक्त्वमेव तन्मौनं मौनं सम्यक्त्वमेव वा ।।१।।९७।। અર્થ : જે જગતના સ્વરૂપને જાણે છે તેને મુનિ કહેલ છે, તેથી સમ્યક્ત જ મુનિપણું છે અને મુનિપણું સમ્યક્ત જ છે.
વિવેચન: મોક્ષમાર્ગની આરાધના એટલે મુનિપણાની આરાધના. મોક્ષમાર્ગની આરાધના કરવાની અભિલાષાવાળા જીવાત્માએ મુનિપણાની આરાધના કરવી જોઈએ. મુનિપણાની આરાધના કરવા માટે મુનિપણાનું સ્વરૂપ તેણે યથાર્થ સ્વરૂપે જાણવું જોઈએ કે જે યથાર્થ સ્વરૂપ સર્વજ્ઞ-સર્વદર્શી પરમાત્માએ બતાવેલું છે. મુનિપણાનું યથાર્થ સ્વરૂપ જાણી તે પ્રમાણે શ્રદ્ધા કરવી જોઈએ અને તે પ્રમાણે આચરણ પ્રારંભવું જોઈએ.
અહીં મુનિપણાનું સ્વરૂપ “એવંભૂત' ન દષ્ટિથી બતાવવામાં આવ્યું છે. વિશ્વમાં પ્રત્યેક જડ-ચેતન પદાર્થ અનંતધર્માત્મક હોય છે; અર્થાતું એક વસ્તુમાં અનંત ધર્મો રહેલા હોય છે. એક-એક ધર્મ, વસ્તુનું એક-એક સ્વરૂપ છે. એટલે વસ્તુ એક હોય, છતાં તેનાં સ્વરૂપ અનંત હોય. વસ્તુની પૂર્ણતા તેના અનંત સ્વરૂપના સમૂહરૂપે હોય છે. કોઈ એક સ્વરૂપને લઈને વસ્તુનો વિચાર કરવામાં આવે, ત્યારે તે વિચારને “નયવિચાર' કહેવામાં આવે છે. પ્રસ્તુતમાં “મુનિ' કે જે એક ચેતન-પદાર્થ છે, તેના અનંત સ્વરૂપોમાંથી એક સ્વરૂપનો વિચાર કરવામાં આવે છે, તે વિચાર “એવંભૂત' નયનો વિચાર છે.
એવભૂત' નય શબ્દ અને અર્થ, બંનેને વિશેષરૂપે જુએ છે. “ઘડો’ એવો શબ્દ અને “ઘડો' એવો પદાર્થ, બંને પ્રત્યે “એવંભૂત' નયની વિશેષ દૃષ્ટિ છે. શબ્દશાસ્ત્રના નિયમ પ્રમાણે શબ્દની જે વ્યુત્પત્તિ થતી હોય, તે વ્યુત્પત્તિસન્દર્શિત પદાર્થ જ વાસ્તવમાં પદાર્થ છે; અને શબ્દ પણ તે જ તાત્ત્વિક છે કે જે તેવા પ્રકારની નિયત ક્રિયામાં પદાર્થને સ્થાપિત કરે છે! એટલે આ નયે ઘડાને ઘડો ત્યારે માન્યો છે કે જ્યારે સ્ત્રી વગેરેના માથા પર તે રહેલો હોય અને પાણી લાવવા-લઈ જવાની ક્રિયા થઈ રહી હોય પાણી લાવવા-લઈ જવાની ક્રિયાના સ્વરૂપમાં “એવંભૂત' નય ઘડાને જુએ છે! અને એ પ્રસિદ્ધ ક્રિયામાં રહેલા ઘડાનો બોધ કરાવનાર તરીકે “ઘડો' શબ્દ આ નયને સંમત છે.
મુનિ' શબ્દની વ્યુત્પત્તિ છે : કન્યતે નીત્તત્ત્વ તો મુનિ ! “મુનિ' એવા ૬. નયોનું સ્વરૂપ પરિશિષ્ટમાં જુઓ.
For Private And Personal Use Only