SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ ભોતિક-અભૌતિક રમતો પહેલી રમત છે પૈસાની. પૈસાને લેખકે “ગટર' કહી છે અને પૈસા પાછળ પાગલ થયેલા માનવીને ડુક્કર કહ્યો છે, ભૂંડ કહ્યો છે. આ જ ઉપમા “જ્ઞાનસાર' માં અજ્ઞાનીને આપવામાં આવી છે! અજ્ઞાનને વિષ્ટા (ઉકરડો) કહીને અજ્ઞાનીને ડુક્કર બતાવ્યો છે. (મmત્વજ્ઞઃ જિનાજ્ઞાને વિષ્ટાયાવિ :) જે માણસોના મનમાં કેવળ પૈસા કમાવવાની જ ગડમથલ ચાલે છે, જેમની મોટા ભાગની વાતો અર્થપ્રધાન જ હોય છે અને જેમનો વધુમાં વધુ સમય અર્થોપાર્જન- પૈસા કમાવવામાં જતો હોય છે. તેઓ ઉકરડા પર ફરતા ડુક્કર જેવા જ છે. એમનામાં ને ડુક્કરમાં કોઈ ફરક નથી. આ વાત શું એ લોકો સમજશે ખરા? આવા ધનવાનોને જીવનલય હોતો જ નથી. ‘લય' નામનું તત્ત્વ જ એમના માટે દુર્લભ હોય છે. બીજી રમત છે યશ-કીર્તિ મેળવવાની. પોતાના ઘરમાં અળખામણો થયેલો, અપમાનિત થયેલો માણસ સંઘ અને સમાજમાં, નગરમાં ને દેશમાં યશ-કીર્તિ કમાવા નીકળી પડે છે ત્યારે એ ઉકરડા ઉપર રમતો કૂકડો દેખાય છે! કૂકડો નાચે છે... ગાય છે.... પણ ઉકરડા ઉપર! કીર્તિની લાલસા ઉકરડો છે! જેને જીવનલય પામવો છે, બ્રહ્મલય પામવો છે, તેને કીર્તિયશ સાથે કંઈ જ લેવાદેવા નથી. એટલે યોગીપુરુષો કીર્તિના ઉકરડાથી દૂર એકાંતના ઉપવનમાં રહે છે! નામના અને પ્રસિદ્ધિથી દૂર રહે છે. આજે તો આ ઉકરડા (યશ-કીર્તિના) ઉપર કહેવાતા સાધુ-સંતો અને મહર્ષિઓ કૂકડાની રમત રમી રહ્યા છે.. કેવી કરુણતા છે આ? ત્રીજી રમત બતાવી છે શક્તિના પ્રદર્શનની. બલિના બકરા તરીકે એ શક્તિશાળીને જુએ છે. મનીપાવર અને મસલ્સપાવર પર મુસ્તાક બનતા લોકો લગભગ હિંસાના માર્ગે ચાલ્યા જતા હોય છે. આ બે શક્તિઓના સદુપયોગનો એમને વિચાર જ નથી લાગતો. ધનશક્તિ અને તનશક્તિ પરપીડન માટે જ લગભગ વપરાતી હોય છે. આવા લોકોની નિયતિ સારી નથી હોતી. એક દિવસ તેઓ બલિના બકરાની જેમ જ વધેરાઈ જતા હોય છે. આ બલિના બકરાની વાત “ઉત્તરાધ્યાયન સૂત્રમાં ભગવાન મહાવીરે જુદી રીતે કહેલી છે. ગાયના વાછરડાનો અને ગાયનો સંવાદ ખૂબ રોચક છે. હવે, આ લેખકે – રોબર્ટ એસ. ડી. રોપે – બીજી અભૌતિક ચાર રમતો બતાવી છે, તે પહેલાં બતાવી દઉં. પછી તને મનના પાંચ ખંડોમાં લઈ જઈશ, બરાબર? For Private And Personal Use Only
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy