________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૧૮૩ - વનવગડાના પાડા, બાહુબલીના ઊંચા શરીર પર પોતાનાં શીંગડાં ઘસતા
હતા અને શરીર ખંજવાળતા હતા. - વાઘણોનાં ટોળાં પોતાનાં શરીરોને બાહુબલીના શરીરને પર્વતની તળેટી
સમજી તેમના શરીર સાથે પોતાનાં શરીર ટેકવી નિરાંતે ઊંધી જતાં હતાં. વનહાથીઓ તે મહાત્માના હાથ-પગને ખેંચતા હતા, પણ ખેંચી શકતા નહીં,
મોં બગાડીને ચાલ્યા જતા હતા. - ચમરી ગાયો નિઃશંકપણે ત્યાં આવીને કરવત જેવી એમને કાંટાવાળી વિકરાળ - જીભ વડે તે મહાત્માને ઊંચા મુખ કરીને ચાટતી હતી. - ચામડાની પટ્ટીઓ જેમ મૃદંગ પર વીંટાય તેમ સેંકડો શાખાવાળી લતાઓ
તેમના શરીર પર વીંટાઈ હતી. - વર્ષાકાળમાં કાદવમાંનિમગ્ન થયેલા તેમના ચરણને વીંધીને દર્ભની શુળ
ઊગી નીકળી હતી. - વેલોથી ભરાયેલા તેમના દેહ પર પક્ષીઓએ પોતાના માળા બાંધ્યા હતા. - હજારો મોટા સર્પો વેલોના સહારે ઉપર ચઢી લટકતા હતા. લાંબા સર્પોથી
જાણે મહાત્મા બાહુબલી હજાર હાથવાળા જણાતા હતા! - ઘણા સર્પો એમના ચરણ ઉપર વીંટળાઈ રહેતા હતા. જાણે પગે પહેરવાનાં
કડાં ન હોય!
બાહુબલી એક વર્ષ સુધી સ્થિર ઊભા, મૌન ઊભા. ધ્યાનમાં રહ્યા. છતાં તેમના રાગ-દ્વેષ-મોહ દૂર ન થયા. તેમને કેવળજ્ઞાન ન થયું!
પરંતુ એ કાળે પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવ હાજર હતા. તેમણે બે સાધ્વીઓ બ્રાહ્મી અને સુંદરીને બોલાવી. એ બંને ભરતબાહુબલીની બહેનો હતી.
ભગવાન ઋષભદેવે બ્રાહ્મી-સુંદરીને કહ્યું : “હે આર્યાઓ, અત્યારે બાહુબલી પોતાનાં પ્રચુર કર્મોને ખપાવી, શુક્લપક્ષની ઉજ્વલ ચતુર્દશી જેવા અંધકારરહિત બન્યા છે. પરંતુ જેમ પડદાની પાછળ રહેલો પદાર્થ, જોઈ શકાતો નથી તેમ મોહનીય કર્મના અંશરૂપ “માન-કષાયથી તેને કેવળજ્ઞાન થતું નથી. આત્માનુભવરૂપ, કેવળજ્ઞાનની ઉષારૂપ પ્રકષ્ટ લયની પ્રાપ્તિ થતી નથી. માનકપાયનું વિઘ્ન દૂર કરવાનો હવે સમય પાક્યો છે! તમારા બંનેનાં વચનથી તે માનનો ત્યાગ કરશે. માટે તમે ત્યાં જાઓ અને ઉપદેશ આપો. હાલ ઉપદેશનો સમય પ્રવર્તે છે! અર્થાત્ તમારો ઉપદેશ સફળ થશે.”
For Private And Personal Use Only