________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
બ્રહ્મદશાનાં ચાર લક્ષણો ૧. કવિ ૨. મનીષી ૩. પરિભૂ અને ૪. સ્વયંભૂ. - કવિ તે કે જે બ્રહ્મમાં રહેલી સુંદરતા અને સુખને આત્મસાત્ કરે. - મનીષી એ કે જે સ્થિતપ્રજ્ઞ બની, બ્રહ્મદશા પામવા મથે. - પરિભૂઃ તે કે જે સત્યનું સર્વદેશીય તથા વ્યાપક દર્શન પામવા મથે. - સ્વયંભૂઃ તે કે જે અંદરથી પ્રાપ્ત થયેલી આત્મપ્રતીતિ(અન્તર્બોધ)નો બીજામાં વિનિયોગ કરે. પરમ બ્રહ્મમાં નિમગ્ન એવા એક સાધુ-કવિ જ્ઞાનભૂષણે ગાયું છે :
निर्द्रव्यं स्ववशं निजस्थमभयं नित्यं निरीहं शुभं, निर्द्वन्द्वं निरूपद्रवं निरूपमं निबंधमूहातिगम्।
उत्कृष्टं शिवहेत्वदोषममलं यद् दुर्लभं केवलं, स्वात्मोत्थं सुखमीदृशं च खभवं तस्माद्विरूद्धंभवेत् ।।
- તત્ત્વજ્ઞાનતરંજિળી-૧૭ર બ્રહ્મના સુખની સુંદરતા અને શ્રેષ્ઠતાનું સ-રસ વર્ણન આ શ્લોકમાં કરવામાં આવ્યું છે. ઇન્દ્રિયજન્ય સુખો કરતાં બ્રહ્મનું સુખ કેવું ચઢિયાતું છે, તે સ્પષ્ટતાથી સમજાવ્યું છે. ૧, ઇન્દ્રિયજન્ય સુખ પરદ્રવ્યસાપેક્ષ ૧. આત્મિક સુખ પારદ્રવ્ય-નિરપેક્ષ હોય છે.
હોય છે, સ્વાધીન હોય છે. ૨. ઇન્દ્રિયસુખ ઇન્દ્રિયોને પરાધીન ૨. આત્મિક સુખ આત્માને જ આધીન હોય છે.
હોવાથી સ્વવશ છે. ૩. ઇન્દ્રિયસુખ પરપદાર્થોમાં રહેલું છે. ૩. આત્મસુખ નિક-રૂપમાં રહેલું છે. ૪. ઇન્દ્રિયસુખ ભયયુક્ત છે. ૪. આત્મસુખ અભય છે. ૫. ઇન્દ્રિયસુખ વિનાશી છે. ૫. આત્મસુખ નિત્ય છે. ૭. ઇન્દ્રિયસુખ તૃષ્ણા વધારે છે. ૬. આત્મસુખમાં પરમતૃપ્તિ થાય છે. ૭. ઇન્દ્રિયસુખ પરિણામે દુઃખરૂપ ૭. આત્મસુખ પરમ શ્રેયકારી હોવાથી હોવાથી અશુભ છે.
શુભ, મંગલકારી, કલ્યાણકારી છે. ૮. ઇન્દ્રિયસુખ રાગ-દ્વેષાદિ અનેક ૮, આત્મસુખ નિર્બદ્ધ છે. દ્વન્દ્રવાળું છે.
For Private And Personal Use Only