________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૯
લય-વિલય-પ્રલય
માટે, શરીર, મન અને આત્માના સુમેળ થકી જો જીવનયાત્રા ચાલે તો જ મોક્ષયાત્રા શરૂ થઈ શકે. આ સુમેળ એટલે જ લય. શરીરનો લય જળવાવો જોઈએ, મનનો લય જળવાવો જોઈએ, તો પછી આત્માનો લય પામી શકાય.
છેઃ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ends and Means' પુસ્તકમાં આસ્ટ્સ હક્સલી કહે છે : ‘આદર્શ માણસ તે છે કે જેનું મન વળગણમુક્ત હોય.' (Non-attached) વળગણમુક્તિની વાત લેખક આ રીતે કરે છે :
૦ શરી૨ની વાસનાઓ અને સંવેદનાનું વળગણ ન હોય.
૦ સત્તા કે અધિકાર પ્રાપ્ત કરવાની તાલાવેલી ન હોય.
૦ શોખ માટેની ચીજો મેળવવાની પડાપડી ન હોય.
Q સાવ જ અંગત પ્રેમસંબંધનું બંધન ન હોય.
૦ પૈસો, કીર્તિ અને સામાજિક મોભાની ખેવના ન હોય,
૦ વિજ્ઞાન, કળા અને તત્ત્વજ્ઞાન પ્રત્યે પણ બંધન ન હોય.
અફઘાનિસ્તાનના એક શાણા માણસ સેનાઈએ આ જ વાતો જુદી રીતે કહી
માનવજાત નીંદરમાં પોઢેલી છે.
જે બાબતો સાવ નકામી છે.
તેમાં એને દિલચસ્પી હોય છે.
માનવજાત બનાવટી દુનિયામાં જીવે છે.
૧૯૫૨ ના અરસામાં આસ્ટ્સ હક્સલીએ એક વિચારસમૃદ્ધ પુસ્તક લખ્યું : ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ રીવિઝિટેડ.’ આ પુસ્તકમાં એમણે પશ્ચિમના યુવકની મનોદશા વર્ણવતાં લખ્યું કે એક જમાનામાં ક્રોધે ભરાયેલા યુવાનનું સૂત્ર હતું : ‘મને મુક્તિ આપો કાં મોત આપો!' હસલી કહે છે કે હવેના યુવાનનું સૂત્ર છે - મને ટી.વી. અને ઇન્ટરનેટ આપી દો... અને સ્વતંત્રતાની પળોજણોથી મુક્ત કરો.’
આજના માણસનું માનસ હવે ‘સ્ટેટસ'ને મહત્ત્વ આપવા માંડ્યું છે. તે માણસની સ્ટેટસની, એની સ્મશાનયાત્રા વખતે જામેલી ભીડ પરથી માપવામાં આવે છે. એના પરિશુદ્ધ અસ્તિત્વનું સત્ય આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ઠઠારાના ઢાંકણ તળે દબાઈ જાય છે. આપણે માણસ ભણી જોઈએ
For Private And Personal Use Only